યેદિયુરપ્પા હાઈ ડ્રામા બાદ હવે જેલના એસી સેલમાં
ADVERTISEMENT
હવે તેઓ જેલની હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગઈ કાલે તેમને ઍમ્બ્યુલન્સમાં બૅન્ગલોર સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવેલી સરકારી વિક્ટોરિયા હૉસ્પિટલથી બૅન્ગલોરથી ૧૦ કિલોમીટર દૂર પૂર્વના પરા પરપ્પાના અગ્રહારાની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. રવિવારે યેદિયુરપ્પાને જયદેવ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોવૅસ્ક્યુલર સાયન્સિસ ઍન્ડ રિસર્ચથી વિક્ટોરિયા હૉસ્પિટલમાં લઈ જવામાં
આવ્યા હતા ત્યારે પોલીસે તેઓ કોઈને દેખાય નહીં એવી વ્યવસ્થા કરી હતી. જોકે ગઈ કાલે તેમને જેલમાં પાછા લઈ જતી વખતે પોલીસે આવી કોઈ તકેદારી લીધી નહોતી. હાઈ ર્કોટ આજે તેમની જામીનઅરજી સાંભળશે.
પોતે બીમાર નથી છતાં જેલથી બચવા બીમાર થઈને હૉસ્પિટલમાં દાખલ થઈ જાય છે એવી ટીકાઓને પગલે યેદિયુરપ્પાએ હૉસ્પિટલ છોડીને જેલમાં સારવાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.