૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સોલાપુર લોકસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી
હિન્દુ સાધુએ લોકસભાની ચાર બેઠક પર ઉમેદવારી નોંધાવી
લોકસભાની ચૂંટણીમાં એક વ્યક્તિ વધુમાં વધુ બે બેઠક પર ચૂંટણી લડી શકે એવો નિયમ હોવા છતાં મૂળ કર્ણાટકના હિન્દુ સાધુ વ્યન્કટેશ્વર મહાસ્વામીએ મહારાષ્ટ્રના સોલાપુર, અમરાવતી અને નાગપુર સહિત તેમના મૂળ વતન વિજયપુરમાંથી પણ લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. આમ એક-બે નહીં પણ ચાર-ચાર બેઠક પર આ સાધુએ અપક્ષ ચૂંટણી લડવા માટેનાં ફૉર્મ ભર્યાં છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સોલાપુર લોકસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આમ છતાં આ વખતે તેમણે ચાર જગ્યાએથી ઉમેદવારી નોંધાવી છે. જોકે આ ચૂંટણીના નિયમોમાં બેસતું ન હોવાથી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.