Rajasthan News: એક પરિણીત મહિલા તેના બે બાળકો અને પતિને છોડીને 14 એપ્રિલના રોજ ગામના જ કોઈ અન્ય યુવક સાથે નાસી ગઈ હતી
કોર્ટના ચુકાદાની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- સસરા તો પાણીની ટાંકી પર ચઢી જઈને લટકી ગયા હતા
- સાસરિયાંવાળાઓને પણ આ અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નહોતી
- લગભગ અડધા કલાક સુધી આ મામલો ચાલ્યો હતો
રાજસ્થાનમાંથી એક ચોંકાવનાર સમાચાર (Rajasthan News) સામે આવ્યા છે. અહીં એક કેસ માટે કોર્ટે એવું નિવેદન આપ્યું હતું કે તે ચર્ચાનો વિષય બન્યું છે. અહીં કોર્ટે એક મહિલાને તેના પ્રેમી સાથે રહેવાની મંજૂરી આપી દીધી હતી. પણ આ બાબતે હદ તો ત્યારે વટાવી હતી કે જ્યારે કોર્ટના આવા નિવેદન બાદ તેના તેના સાસરિયાઓ રોષે ભરાયા હતા. તેટલું જ નહીં કોર્ટના ચુકાદાનો જાણે વિરોધ કરતાં હોય તેમ તેઓ પાણીની ટાંકી પર ચઢી ગયા હતા.
શું છે મામલો? આવો જાણીએ વિસ્તારથી
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે અલીપુરની રહેવાસી એક પરિણીત મહિલા તેના બે બાળકો અને પતિને છોડીને 14 એપ્રિલના રોજ ગામના જ કોઈ અન્ય યુવક સાથે નાસી ગઈ હતી. જેના કારણે પરિવારજનોએ બૈજુપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. મહિલાના સાસરિયાંઓના જણાવ્યા અનુસાર બૈજુપાડા પોલીસે પરિણીત મહિલાને સમજાવીને કોર્ટમાં રજૂ કરી હતી.
આ રીતે મામલો (Rajasthan News) કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ આ મહિલા કોર્ટમાં સુદ્ધાં હાજર થઈ હતી, જ્યાં મહિલાએ તેના પ્રેમી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મહિલાના સાસરિયાંને આ વાત જરાય ગળે ન ઉતરી એટલે સસરા તો પાણીની ટાંકી પર ચઢી જઈને લટકી ગયા હતા.
કોર્ટે મહિલાને તેના પ્રેમી સાથે જવા દીધી
કોર્ટમાંથી પરિણીત યુવતીને તેના પ્રેમી સાથે મોકલી દેવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ આ મહિલાના સાસરિયાંવાળાઓને પણ આ અંગે કોઈ જ માહિતી આપવામાં આવી નહોતી. માટે જ તેઓ ગુસ્સે ભરાઇ ગયા હતા અને તેઓએ પોલીસ પર આરોપ લગાવ્યા હતા.
સસરા તો આત્મહત્યા જ કરવાના હતા
Rajasthan News: કોર્ટના આ નિર્ણય બાદ નારાજ થયેલા સસરા તો સાંજે 4 વાગ્યે બૈજુપાડા સ્થિત એક પાણીની ટાંકી પર ચડી ગયા હતા અને નીચેથી લટકીને કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલાની માહિતી મળતાં જ પોલીસ ત્યાં આવી ગઈ હતી. આ મામલો લગભગ અડધા કલાક સુધી ચાલતો રહ્યો.
આ મામલા (Rajasthan News)ની જાણ થતાંની સાથે જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, જ્યાં લગભગ અડધા કલાક સુધી ચાલેલી આ ઘટનામાં પાણીની ટાંકી પર ચડેલા સસરાને અન્ય સભ્યોને ત્યાં ટાંકી પર મોકલીને સસરાને સમજાવવા કહ્યું હતું. ત્યારબાદ સસરાને સમજાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા.
સસરા નીચે તો ઊતર્યા પણ તેમનો ગુસ્સો નહીં
ટાંકી પરથી સસરા નીચે ઉતર્યા બાદ મહિલાના પરિવારજનો બૈજુપાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ધરણા પર ઉતરી ગયા હતા. પરિવારના સભ્યોએ કહ્યું હતું કે પોલીસે પરિણીત મહિલાને અહીં બોલાવીને તેના પરિવારને મળાવવી જોઈએ. પછી પોલીસે તેમણે ન્યાય આપવાનું કહીને મામલો ઠંડો પાડ્યો હતો.