Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આવો બફાટ?

Published : 05 February, 2025 08:00 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહાકુંભની નાસભાગમાં ૩૦ લોકોનાં મોતની ઘટના વિશે હેમા માલિનીએ કહ્યું કે એટલી કંઈ મોટી ઘટના નહોતી, એને બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહી છે

ગઈ કાલે નવી દિલ્હીમાં સંસદભવનની બહાર પત્રકારો સાથે વાત કરતાં હેમા માલિની.

ગઈ કાલે નવી દિલ્હીમાં સંસદભવનની બહાર પત્રકારો સાથે વાત કરતાં હેમા માલિની.


૨૯ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી નાસભાગમાં ૩૦ લોકોએ જીવ ગુમાવ્યા એ ઘટના હેમા માલિનીના મતે બહુ નાની છે. BJPનાં મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ ગઈ કાલે મીડિયા સાથે વાતચીત કરતી વખતે નાસભાગની ઘટના વિશે કહ્યું હતું કે ‘જે લોકો બોલી રહ્યા છે એ તેમનું કામ છે બોલવાનું... ઊંધું, ખોટું બોલવાનું. હું કુંભમાં ગઈ હતી અને મેં પણ સરસ સ્નાન કર્યું હતું. બહુ સારું બધું થયું. આ ઘટના થઈ હતી એ સાચી વાત છે પણ એટલું મોટું કંઈ નહોતું થયું, પણ એ કેટલી મોટી ઘટના હતી એ મને નથી ખબર... આ ઘટનાને 
બઢાવી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2025 08:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK