Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Festivals

લેખ

ડાંગની દીકરીઓ માથે ગૌરાઈ મૂકીને ઉત્સવમાં સહભાગી બની હતી.

ડાંગમાં આદિવાસી દીકરીઓએ માથે ગૌરાઈ મૂકી ઊજવ્યો ઉત્સવ

અખાત્રીજે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના ખેડૂતોએ ખેતીનાં ઓજારો અને ધરતીમાતાનું પૂજન કરીને ખેતીની કરી શરૂઆત : વાંસની નાની ટોપલીમાં નાગલી, ડાંગર, મકાઈ, અડદ, જુવાર નાખીને એને ઉગાડી એનાં ધરુ જોઈને ખેતીનું લગાવે છે અનુમાન

01 May, 2025 01:12 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
મોરબીમાં પોતાને ગમતું પુસ્તક લઈને એ નોંધાવવા માટે લાઇન લાગી હતી.

વાંચનની તરસ છિપાવતી પુસ્તક-પરબ

રવિવારે સવારે સાડાસાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ સહિત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૫૦  પુસ્તક-પરબ ભરાય છે

27 April, 2025 03:11 IST | Surat | Shailesh Nayak
સ્ટર ઑફ પેરિસ (PoP)ની ગણેશ અને અન્ય મૂર્તિ

મૂર્તિકારોને અદાલતની સલાહ

PoPના વિકલ્પ પર કામ હમણાંથી જ ચાલુ કરી દો, કોર્ટના ચુકાદાની વાટ ન જુઓ

25 April, 2025 11:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળહનુમાનને અંજનીમાતાના વહાલના આ દૃશ્યએ ભક્તજનોને અલૌકિક અનુભૂતિ કરાવી હતી.

સાળંગપુરમાં હનુમાનદાદાના શરણે સાતથી ૧૦ લાખ ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક નમાવ્યું શીશ

સવારે અંજનીમાતા સાથે બાળહનુમાનના ફોટોએ સૌનાં દિલ જીતી લીધાં

13 April, 2025 12:55 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

ફોટા

અખા ત્રીજે કરવા જેવા ન ટાળવા જેવાં કામ વિષે જાણી લેજો

અખા ત્રીજે શું કરશો ને શું ટાળશો તો આખું વર્ષ સુખ-સમૃદ્ધિ-ઐશ્વર્યથી છલકાશે!

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું મહત્વ ઘણું જ છે. દર વર્ષે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયાએ આ તિથિ ઊજવાય છે. આ વર્ષે ૩૦મી એપ્રિલે આ તિથિ ઊજવાશે ત્યારે જાણી લઈએ કે આ દિવસે કયા ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

30 April, 2025 07:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હનુમાનદાદાને ગુલાબની પાંખડી સહિતનાં ફૂલોથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.

સાળંગપુરમાં આજે હનુમાનદાદાના શરણે આવશે બે લાખથી વધારે ભક્તજનો

ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.   સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે. કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.

13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent
હનુમાન જયંતિ કે હનુમાન જન્મોત્સવ ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી કરે છે. (તસવીરો: મિડ-ડે)

દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણીની તસવીરો સાથે જાણો તહેવાર વિશેની આ રસપ્રદ બાબતો

હનુમાન જયંતીના શુભ પ્રસંગે, દેશભરમાં ભક્તોની ભીડ પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી પડી છે. આ દિવસે ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી થાય છે. (તસવીરો: મિડ-ડે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોભાયાત્રાનું આયોજન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઉત્તર મુંબઈ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું (તસવીરો: સતેજ શિંદે)

બોરીવલીમાં રામ નવમીની ઉજવણી, શોભાયાત્રામાં ભારે ઉત્સાહ સાથે હિન્દુ સંગઠન જોડાયા

રામ નવમી 2025 નિમિત્તે, મુંબઈના બોરીવલી પશ્ચિમ ખાતે સ્વામી વિવેકાનંદ રોડ પર સકલ હિન્દુ સમાજના સભ્યોએ ભવ્ય રથયાત્રામાં ભાગ લીધો હતો. (તસવીરો: સતેજ શિંદે)

07 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

રેખા ગુપ્તાએ દિલ્હીમાં બૈસાખી સેલિબ્રેશનમાં હાજરી આપી

રેખા ગુપ્તાએ દિલ્હીમાં બૈસાખી સેલિબ્રેશનમાં હાજરી આપી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મોડલ ટાઉન રામલીલા પાર્કમાં બૈસાખી ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો.

14 April, 2025 09:57 IST | New Delhi
હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025: ભારતભરમાં હનુમાન મંદિરોમાં હજારો ભક્તો એકઠા થયા

હનુમાન જયંતિ 2025 12 એપ્રિલના રોજ સમગ્ર ભારતમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. પાંડુર્ણા (મધ્યપ્રદેશ)માં શ્રી હનુમાન મંદિર જામ સાવલીથી લઈને અયોધ્યામાં હનુમાન ગઢી, વારાણસીમાં સંકટ મોચન મંદિર અને દિલ્હીમાં માર્ગાટ વાલે હનુમાન બાબા મંદિર સુધી, મંદિરોમાં ભક્તોનો વિશાળ મેળાવડો જોવા મળ્યો. દ્રશ્યોમાં હજારો ભક્તો ભગવાન રામના દિવ્ય ભક્ત ભગવાન હનુમાનના જન્મ નિમિત્તે પ્રાર્થના કરતા, લાંબી કતારોમાં ઉભા રહેતા અને ભવ્ય ઉજવણીમાં ભાગ લેતા જોવા મળે છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને 2025માં, તે 12 એપ્રિલે આવે છે. જુઓ ભારતે આ પવિત્ર દિવસ કેવી રીતે ઉજવ્યો.

12 April, 2025 07:13 IST | New Delhi
યુપીના શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદો માટે સુરક્ષા કડક

યુપીના શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદો માટે સુરક્ષા કડક

૧૪ માર્ચે હોળીના તહેવાર પહેલા શાહજહાંપુરમાં `લાટ સાહેબ` હોળી પહેલા મસ્જિદોને આવરી લેવામાં આવી. શહેરના SP રાજેશ એસ. એ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ વિશે માહિતી આપી.શહેરમાં `લાટ સાહેબ` હોળી પહેલાની તૈયારીઓ અંગે, SP રાજેશ એસ. એ કહ્યું, "અમે એક મહિના પહેલા શાંતિ સમિતિની બેઠક શરૂ કરી હતી અને જરૂરી સંખ્યામાં સુરક્ષા દળોની માંગણી કરી હતી... કુલ મળીને, લગભગ ૩૫૦૦ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે... લાટ સાહેબની બંને બાજુની બધી મસ્જિદોને આવરી લેવામાં આવી છે... અમે ડ્રોન, CCTV દ્વારા નજર રાખી રહ્યા છીએ... બધી તૈયારીઓ કરવામાં આવી છે."

12 March, 2025 10:19 IST | Shahjahanpur
રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

રાષ્ટ્રપતિ મુર્મુએ મહા કુંભ મેળા દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહા કુંભ મેળાની મુલાકાત લીધી હતી અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. રાષ્ટ્રપતિને ફ્લોટિંગ જેટી પર રક્ષકો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા, પછી તેઓ ડૂબકી મારવા માટે રેમ્પ નીચે ગયા હતા. રાજેન્દ્ર પ્રસાદ પછી તે આવું કરનાર બીજા ભારતીય રાષ્ટ્રપતિ છે. તેણીની મુલાકાત `મૌની અમાવસ્યા` દરમિયાન દુ:ખદ ભાગદોડના એક અઠવાડિયા પછી આવી છે, જેમાં લગભગ 30 ભક્તો માર્યા ગયા હતા. સંગમમાં નાહવા માટે વહેલી સવારે મોટી ભીડ એકઠી થઈ ત્યારે નાસભાગ મચી ગઈ. વધુ માટે વિડિયો જુઓ

10 February, 2025 06:39 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK