ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અધીર ચૌધરીએ પીએમ મોદીને ‘પગલા’ કહ્યા

અધીર ચૌધરીએ પીએમ મોદીને ‘પગલા’ કહ્યા

25 May, 2023 12:17 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજી વચ્ચેની મીટિંગ વિશે તેમણે કહ્યું હતું કે ‘હવે ભારતના લોકો મોદીથી નિરાશ થઈ ગયા છે.

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

કૉન્ગ્રેસના સંસદસભ્ય અધીર રંજન ચૌધરીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘પગલા’ ગણાવતા સ્ટેટમેન્ટને લઈને વિવાદ થયો તો ગઈ કાલે તેમણે એના વિશે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે તો માત્ર લોકોની લાગણીઓનો પડઘો પાડ્યો હતો અને ૨,૦૦૦ રૂપિયાની નોટને પાછી ખેંચી લેવાને લઈને ઑલરેડી લોકો જે રીઍક્શન આપી રહ્યા છે એ જ વાત તેમણે કહી છે. 
૨,૦૦૦ની નોટના મુદ્દે વાત કરતી વખતે પશ્ચિમ બંગાળ કૉન્ગ્રેસના અધ્યક્ષે જીભ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો અને કહ્યું હતું કે ‘તેઓ મોદી નથી, પરંતુ પગલા મોદી છે. લોકો તેમને પગલા મોદી કહે છે.’ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સુપ્રીમો મમતા બૅનરજી વચ્ચેની મીટિંગ વિશે તેમણે કહ્યું હતું કે ‘હવે ભારતના લોકો મોદીથી નિરાશ થઈ ગયા છે. લોકો કહે છે કે મોદી ‘પગલા’ મોદી છે. હવે લોકો જ્યારે મોદીની વિરુદ્ધ થયા છે ત્યારે આમ આદમી પાર્ટી અને તૃણમૂલ જેવી પાર્ટીઓ પ્રસ્તુત બનવાની કોશિશ કરી રહી છે.’ 


25 May, 2023 12:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK