Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રસ્તાઓની બિસમાર દશાના વિરોધમાં પાલઘરમાં સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા

રસ્તાઓની બિસમાર દશાના વિરોધમાં પાલઘરમાં સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા

Published : 27 June, 2025 12:13 PM | Modified : 28 June, 2025 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારને અનેક વાર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અરજી કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.’ આંદોલનને કારણે આ માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાલઘર જિલ્લાનાં ગામડાંઓમાં રસ્તાની બદતર હાલતને કારણે લોકોને જીવનું જોખમ ઊભું થયું છે. રસ્તાઓના સમારકામ માટે સરકાર તરફથી આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરીને સરકાર સુધી વાત પહોંચાડવાની રીત અપનાવી હતી. સ્થાનિક સ્વયંસેવી ગ્રુપે એકસાથે ભિવંડી-વાડા અને ભિવંડી-વસઈ રોડ પર ૧૧ સ્થળોએ સૂત્રોચ્ચાર સાથે આંદોલન કર્યું હતું. શ્રમજીવી સંઘટનાના રામભાઉ વર્નાએ જણાવ્યું હતું કે ‘આ રોડ કેટલીયે વાર રિપેર કરવામાં આવ્યા છે, પરંતુ વરસાદના સમયે રસ્તાની હાલત ખૂબ બદતર થઈ જાય છે જેને કારણે જીવલેણ અકસ્માતો વધે છે. સરકારને અનેક વાર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અરજી કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.’ આંદોલનને કારણે આ માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK