આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરી હશે, જેઓ આ કાર્યક્રમના સાંસ્કૃતિક મહત્ત્વ પર ભાર મૂકશે
મહાગ્રંથ રાગોપનિષદ
પ્રાચીન જૈન ભક્તિ સંગીતમાં શાસ્ત્રીય રાગો પર આધારિત મહાગ્રંથ રાગોપનિષદના ઉદ્ઘાટન સાથે મુંબઈમાં એક યાદગાર સંગીતસંધ્યાનું આયોજન થઈ રહ્યું છે, જે પ્રાચીન પરંપરાઓ અને સમકાલીન કલાત્મકતાનું સુમેળભર્યું મિશ્રણ કરે છે.
રાગોપનિષદ નામની આ શ્રેષ્ઠ કૃતિને આર્ષદૃષ્ટા જૈન આચાર્ય ભગવંત શ્રીમદ વિજયતીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાવવામાં આવી છે, જે સદીઓ જૂની ભક્તિગીતોની હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ગહન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
ADVERTISEMENT
આ ઉદ્ઘાટન ફક્ત સંગીતનો ઉત્સવ નથી પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું પુનરુત્થાન છે, જે ભાવિ પેઢીઓને આપણા સંગીત વારસાના ઊંડાણને શોધવા અને એનું સન્માન કરવાની પ્રેરણા આપે છે.
આ કાર્યક્રમ ૮ માર્ચે સાંજે ૫.૩૦ વાગ્યે લક્ષ્મી સરસ્વતી ગ્રાઉન્ડ, ઇન ઑર્બિટ મૉલની બાજુમાં, બાંગુરનગર, ગોરેગામ-પશ્ચિમમાં યોજાશે.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરી હશે, જેઓ આ કાર્યક્રમના સાંસ્કૃતિક મહત્ત્વ પર ભાર મૂકશે. આ સંગીતમય પ્રયાસ પાછળ વિખ્યાત સંગીતકાર સ્વરાધીશ ડૉ. ભરત બલવલ્લી છે, જેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. રાગોપનિષદ ભારતીય સંગીતમાં એક અમૂલ્ય રત્ન છે, જે ૫૦૦ વર્ષ પહેલાં વિદ્વાન જૈન સાધુઓ દ્વારા લખાયેલો અને સાચવેલો એક ગહન ગ્રંથ છે. આ પવિત્ર ગ્રંથ આધ્યાત્મિકતા અને શાસ્ત્રીય સંગીત વચ્ચેના ઊંડા જોડાણને પ્રકાશિત કરે છે, જે દર્શાવે છે કે રાગરાગિણી જ્ઞાન અને આંતરિક વિકાસના માધ્યમ તરીકે કેવી રીતે કામ કરે છે. જૈન સાધુઓની રચનાઓમાં મૂળ ધરાવતું રાગોપનિષદ ભારતીય સંગીતની દુનિયામાં એક સાંસ્કૃતિક ખજાના તરીકે ઊભું છે. આ કાર્યક્રમમાં પ્રવેશ મફત છે અને સંગીતના બધા રસિકોને આ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રણ છે.

