Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરના અકસ્માતમાં જયપુરના ઉદ્યોગપતિએ જીવ ગુમાવ્યો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરના અકસ્માતમાં જયપુરના ઉદ્યોગપતિએ જીવ ગુમાવ્યો

Published : 10 March, 2026 11:44 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે જણાવ્યું હતું કે ‘વલ્લભ મહેશ્વરીનો ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.`

વલ્લભ મહેશ્વરી

વલ્લભ મહેશ્વરી


દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રાજસ્થાનના અલવર નજીક કાર-ઍક્સિડન્ટમાં શકુન ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર ૬૨ વર્ષના વલ્લભ મહેશ્વરીનું નિધન થયું હતું. વલ્લભ મહેશ્વરી રવિવારે જયપુરથી મથુરા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 

પોલીસે જણાવ્યું હતું કે ‘વલ્લભ મહેશ્વરીનો ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પ્રારંભિક તપાસ સૂચવે છે કે કારની ગતિ અથવા ટેક્નિકલ ખામીને કારણે અકસ્માત થયો હોઈ શકે.’



જયપુરના ઉદ્યોગપતિ અને તેમના ડ્રાઇવરને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ વલ્લભ મહેશ્વરીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જોકે તેમનો ડ્રાઇવર બચી ગયો છે. મહેશ્વરીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે જયપુર મોકલવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 11:44 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK