Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Jain Community

લેખ

સેવાને સમર્પિત નલિનીબહેન અને પ્રવીણ શાહ. )તસવીરો: આશિષ રાજે)

અમે ભૂખ્યા રહીશું, પણ મૂંગા જીવોને ભૂખ્યા નહીં રાખીએ

સંકલ્પશક્તિ એવી વસ્તુ છે કે જો એને આત્મસાત્ કરી લીધી તો ભલભલી તકલીફોમાં પણ ટકી રહેવાનું સામર્થ્ય તમે કેળવી શકતા હો છો. એમાં પછી તમારી બીમારી નથી નડતી કે તમારી ઉંમરને કારણે આવતી અક્ષમતાઓ પણ આડે નથી આવતી.

02 May, 2025 07:04 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

મુલુંડના અંકિત ઠક્કરનું મૃત્યુ કઈ રીતે થયું?

મોટરમૅને રેલવે-ટ્રૅક પર ઘાયલ પડેલી વ્યક્તિ વિશે મુલુંડના સ્ટેશન-મૅનેજરને જાણ કરી

30 April, 2025 08:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિયા મહેતાએ સી. પી. ટૅન્ક સર્કલ પાસે ગઈ કાલે ટેમ્પોને ઓવરટેક કરવાના પ્રયાસમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.

જૈન ટીનેજર ટેમ્પોના ટાયર નીચે કચડાઈગઈ

સી. પી. ટૅન્ક સર્કલ પાસે સ્કૂટર ​​સ્લિપ થયું અને પાછળ બેસેલી ૧૮ વર્ષની સિયા મહેતા રસ્તા પર ફેંકાઈ ગઈ

30 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પહલગામની ઘટના બાદ જૈન સમાજના વિવિધ સંઘોના વર્ષીતપના વરઘોડા અને ભોજનસમારંભ રદ

હાલ જ્યારે દુ:ખદ બનાવ બન્યો છે ત્યારે રથયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે

28 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આ છે અનુઠાં તપસ્વી રત્નો

આકરામાં આકરું તપ વિપરીતમાં વિપરીત સંજોગોમાં પણ થઈ શકે છે એ આનું નામ

૪૦૦ દિવસની તપશ્ચર્યામાં ૨૨૦ ઉપવાસ અને ૧૮૦ દિવસ બે ટાઇમ નિશ્ચિત સમયે એકાંતરે ભોજન. જૈનોના વર્ષીતપ તરીકે ઓળખાતા આ લૉન્ગેસ્ટ તપની આજે પૂર્ણાહુતિ કરી રહેલા કેટલાક એવા તપસ્વીઓને મળીએ જેમણે અઢળક પડકારો વચ્ચે પણ પોતાના તપને અધવચ્ચે રોક્યું નહીં. સંજોગો સામે ટકી રહીને નિષ્ઠાપૂર્વક ત્યાગ અને ધર્મ માટેનું સમર્પણ તેમણે અકબંધ રાખ્યું એની રોમાંચ અને પ્રેરણાભરી વાતો જાણવા વાંચો આગળ. જીવદયાની જેમ જ તપ અને ત્યાગની બાબતમાં પણ જૈન દર્શન મુઠ્ઠીઊંચેરું છે. ‘જૈનોના ઉપવાસ તો બાપા બહુ જ આકરા’ એવું ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે. જોકે સાવ એવું નથી. તપના મામલામાં વ્યક્તિને તેની ક્ષમતા મુજબ આગળ વધવાના અઢળક પર્યાયો આ ધર્મની પરંપરામાં મળી જશે. સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ખાઈ શકાય એવું નવકારશીનું પણ તપ છે અને ભૂખ કરતાં ઓછું ખાઈને ઊણોદરી તપનો પર્યાય પણ છે. એક ટાઇમ જમવાનું એકાસણું, એક ટાઇમ રસ વિનાનું ભોજન લેવાનું આયંબિલ, બે ટાઇમ ભોજન લેવાનું એટલે કે બિયાસણું. બીજી બાજુ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે ઉકાળીને ઠારેલું પાણી પી શકાય એવા નકોરડા ઉપવાસ તો પાણી પણ નહીં એવો ચૌવિહારો ઉપવાસ, એમાં પાછા બે દિવસના નકોરડા ઉપવાસ એટલે કે છઠ્ઠ, ત્રણ ઉપવાસ એટલે કે અઠ્ઠમ, આઠ ઉપવાસ એટલે અઠ્ઠાઈ, ત્રીસ ઉપવાસ એટલે કે માસક્ષમણ એમ મલ્ટિપલ પર્યાયો જૈનોની ફાસ્ટિંગ પરંપરામાં મળશે. એક ટાઇમથી લઈને એક વર્ષ અને એથીયે લાંબા ચાલતા તપમાં સૌથી લાંબા તપમાં જેનું નામ પ્રમુખ લેવું પડે એવું તપ એટલે વર્ષીતપ. ૪૦૦ દિવસની આ તપશ્ચર્યામાં સામાન્ય રીતે એક દિવસ બિયાસણું એટલે કે બે ટાઇમ ખાવાનું અને એક દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય. વચ્ચે ક્યારેક એકસાથે બે નકોરડા ઉપવાસ કરવાના પણ આવે અને એમાં કેટલાક ત્યાગને વરેલા તપસ્વીઓ પોતાની રીતે બે ટાઇમ ભરપેટ જમવાને બદલે એકાસણાં અને આયંબિલ કરીને એને વધુ કઠિન બનાવીને પણ કરે. આ તપની સૌથી મોટી ખાસિયત એટલે સળંગ ૪૦૦ દિવસ સુધી એક પણ બ્રેક કે ગૅપ વિના આ આહાર અને ઉપવાસના આ રૂટીનને અનુસરવાનું હોય. કાંદિવલી ઈસ્ટમાં દામોદરવાડીમાં આવેલા ઝાલાવાડી જૈન સંઘમાં અત્યારે ૫૨૫ લોકોએ આ વર્ષીતપ કર્યું છે. એકસાથે એક જ ઠેકાણે આટલા મોટા પ્રમાણમાં લોકો વર્ષીતપ કરી રહ્યા હોય એ વાત પોતાનામાં ઇતિહાસ સમાન છે. આખા મુંબઈમાં જુદે-જુદે ઠેકાણે રહેતા લોકો આ વર્ષીતપમાં જોડાયા છે અને આજે તેમના આ લૉન્ગેસ્ટ તપનું પારણું છે. તપ અને ત્યાગ જ્યારે તમારા જીવનનું કેન્દ્રબિંદુ બની જાય ત્યારે ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તમારી ઇચ્છાશક્તિ સાથે નિયમોને વળગી રહો છો. આ વાતને આત્મસાત કરનારા વર્ષીતપ કરી રહેલા કેટલાક અનૂઠા તપસ્વીઓ સાથે અમે મુલાકાત કરી અને જાણી તેમની યુનિક વાતો.

01 May, 2025 06:45 IST | Mumbai | Ruchita Shah
ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ સમગ્ર ઉજવણીઓ દ્વારા ધરમપુરની ધન્ય ધરાએ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીની પાવન ક્ષણોને ફરી ફરી માણી, જે તેઓશ્રીના દિવ્ય જીવન અને બોધની  પ્રેરણા પામવાનો એક મોટો અવસર બની રહી હતી.

શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં સેંકડો ભક્તોએ મહામસ્તકાભિષેકનો લ્હાવો લીધો

ગુડી પાડવાના પવિત્ર દિવસે ભારતના સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીને 125 વર્ષ થયા. આ પ્રસંગને ઉજવતાં ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના રથથી શોભાયમાન આ શોભાયાત્રામાં પૂજ્ય ગુરૂદેવ રાકેશજી પણ એક રથમાં બિરાજમાન હતા. ભગવાનના આગમનની છડી પોકારતાં ઢોલ નગારાં સાથે હાથી, ઘોડા, ઊંટ, મ્યુઝિક બૅન્ડ સાથે સેંકડો ભક્તો પણ આવ્યા હતા. સ્ત્રીઓ માથા પર કળશ લઈને, શ્રીમદ્ રાજચંદ્રજી લિખિત વચનામૃતજીનું પવિત્ર પુસ્તક લઈને પોતાનો અહોભાવ દર્શાવતાં ચાલી રહી હતી. ધરમપુરની જે શેરીઓમાંથી આ શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યાં ત્યાં નગરજનો દર્શન સ્વાગત કરી રહ્યા હતાં. સ્થાનિક સંગઠનો, મંડળો પણ પૂજ્ય ગુરૂદેવશ્રીનું બહુમાન કરી રહ્યા હતા. અબાલવૃદ્ધ સહુ કોઈ અત્યંત ધર્મોલ્લાસપૂર્વક નાચતાં ગાતાં ધરમપુરના માર્ગો પર ઉત્સવનું વાતાવરણ સર્જી રહ્યાં હતાં. આ મંગલ પ્રસંગે સમગ્ર ધરમપુરના કતલખાના બંધ રાખવામાં આવ્યા હતાં.

03 April, 2025 06:56 IST | Dharampur | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. ગિરધન પોપટલાલ ગડાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વાગડ સમાજના જુવાનિયાઓને ટ્રેકિંગનું ઘેલું લગાડનાર આ ડૉક્ટર તો કમાલના!

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં મૂળ કચ્છ વાગડના લાકડીયા ગામના અને મુંબઈમાં ડૉક્ટર તરીકે કાર્યરત ૬૦ વર્ષના ગિરધન પોપટલાલ ગડાની પ્રેરક કહાની રજૂ કરવી છે. જેઓએ ટ્રેકિંગ ક્ષેત્રમાં જબરું કાઠું કાઢ્યું છે. ખાસ તો તેઓએ પોતે ટ્રેક કર્યા છે, પણ પોતાના સમાજના યંગસ્ટર્સ માટે ટ્રેકિંગના અનેક આયોજનો કર્યા છે.

08 January, 2025 09:57 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

વક્ફ કાયદા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ `બોલ્ડ` ટિપ્પણી કરી

વક્ફ કાયદા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ `બોલ્ડ` ટિપ્પણી કરી

કોલકાતામાં `નવકાર મહામંત્ર દિવસ` કાર્યક્રમ દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 09 એપ્રિલના રોજ કહ્યું, "જો અમને ગોળી મારી દો, તો પણ તમે અમારામાંથી એકતા દૂર કરી શકશો નહીં."

10 April, 2025 12:18 IST | Kolkata
નવી સંસદમાં પીએમ મોદીએ જૈન ધર્મ પર પ્રકાશ પાડ્યો

નવી સંસદમાં પીએમ મોદીએ જૈન ધર્મ પર પ્રકાશ પાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં `નવકાર મહામંત્ર દિવસ` કાર્યક્રમમાં ભાગ લીધો, જ્યાં તેમણે અન્ય લોકો સાથે પવિત્ર જૈન મંત્ર, `નવકાર મહામંત્ર`નો જાપ કર્યો. સભાને સંબોધતા. પ્રધાનમંત્રીએ નવી સંસદ ભવનમાં જૈન ધર્મના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડ્યો.

09 April, 2025 02:00 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK