Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે

ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે

27 March, 2024 08:49 AM IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી પડતા મૂકી દેવાયેલા BJPના આ ઉમેદવારના સમર્થકોનો મોટી સંખ્યામાં મેઘરજ અને મોડાસામાં વિરોધ

BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોર

BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોર


સાબરકાંઠા લોકસભા બેઠક પરથી પડતા મુકાયેલા BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થનમાં ગઈ કાલે તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં મેઘરજ અને મોડાસામાં વિરોધ કર્યો હતો. અટકના વિવાદને લઈને સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. તેમણે બેઠક છોડતાં કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલાં શોભના બારૈયાને BJPએ ટિકિટ ફાળવતાં સાબરકાંઠામાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ‘ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે’ એવાં બેનરો સાથે મોડાસામાં આવેલા અરવલ્લી જિલ્લા BJP કાર્યાલય ખાતે તેમ જ મેઘરજમાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ રૅલી કાઢીને તેમને ફરી ટિકિટ આપવા માગણી કરી હતી. 

ગાંધીનગરમાં ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ભીખાજી ઠાકોરે ગઈ કાલે બેઠક કરી હતી. બેઠક બાદ ભીખાજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘પાર્ટીનો નિર્ણય મારા માટે માથા પર છે. નારાજ નથી, હું પાર્ટીનું કામ કરીશ અને કાર્યકર્તાઓને સમજાવી દઈશ.’ 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 08:49 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK