આ દિવસે ગાયબ થઈ જશે તમારો પડછાયો, જાણો કારણ
ગુજરાતીમાં કહેવાય છે કે માણસનો ગમે તેટલો ખરાબ સમય આવે તેનો પડછાયો ક્યારેય સાથ છોડતો નથી. પરંતુ આ વાત ખોટી પડવા જઈ રહી છે. આગામી દિવસોમાં એક એવી ઘટના બનશે કે તમારો પડછાયો ગાયબ થઈ જશે. જી હાં, તમારો પડછાયો સાવ જ ગાયબ થઈ જશે. પણ આ ચમત્કાર નથી.
ચમત્કાર નથી
ADVERTISEMENT
જી હાં, પડછાયો ગાયબ થવાની ઘટના કોઈ ચમત્કાર નથી, પરંતુ વિજ્ઞાન છે. અને આ ઘટના પહેલીવાર નથી બની રહી. દર વર્ષે જૂન મહિનામાં એક વખત તો પડછાયો ગાયબ થતો જ હોય છે. આ દિવસોને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે જૂન મહિનામાં આ ખગોળીય ઘટના બનતી હોય છે.
આખા ગુજરાતમાં નહીં જોવા મળે
પડછાયો ગાયબ થવાની આ અદભૂત ઘટના જો કે આખા ગુજરાતમાં જોવા નહીં મળે. પરંતુ ગુજરાતના માત્ર 6 તાલુકામાં જ આ ખગોળીય ઘટના થશે, અને એ પણ બે વખત. મહેસાણાના કડી, સાબરકાંઠાના પ્રાંતીજ, તાલોદ, અરવલ્લીના માલપુર, ધનસુર, બાયડ તાલુકામાં જ પડછાયો ગાયબ થવાની ઘટના બનશે. જ્યારે આ જિલ્લાના અન્ય તાલુકાઓમાં 21 જૂનના દિવસે બપોરના જુદા જુદા સમયે પડછાયો ખૂબ જ ટૂંકો થઈ જશે.
આ પણ વાંચોઃ મોબાઈલ ચાર્જમાં રાખી મચેડતો હતો, કરંટ લાગતા થયું મોત
કહેવાય છે ઝીરો શેડો ડે
ઝીરો શેડો ડે એક ખગોળીય ઘટના છે. પૃથ્વી અને સૂર્યની ખાસ સ્થિતિને કારણે આ ઘટના બને છે. જ્યારે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી હોય ત્યારે બપોરના સમયે સૂર્યના સીધા કિરણો પૃથ્વી પર આવે છે. પરિણામે પડછાયો પડતો નથી. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટના દરેક સ્થળે નથી અનુભવી શકાતી.
તાલુકા | તારીખ | સમય |
કડી | 14 જૂન | બપોરે 12.40 |
કડી | 28 જૂન | બપોરે 12.43 |
પ્રાંતીજ | 17 જૂન | બપોરે 12.39 |
પ્રાંતીજ | 25 જૂન | બપોરે 12.41 |
તલોદ | 15 જૂન | બપોરે 12.38 |
તલોદ | 25 જૂન | બપોરે 12.41 |
માલપુર | 16 જૂન | બપોરે 12.36 |
માલપુર | 26 જૂન | બપોરે 12.38 |
ધનસુરા | 15 જૂન | બપોરે 12.37 |
ધનસુરા | 27 જૂન | બપોરે 12.40 |
બાયડ | 13 જૂન | બપોરે 12.37 |
બાયડ | 29 જૂન | બપોરે 12.40 |