Ahmedabad to London Flight Cancel: અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI 159માં ટેક્નિકલ ખામીન કારણે તેને રદ કરી દેવામાં આવી. બોઈંગ 788 વિમાન બપોરે 110 વાગ્યે ટેકઑફ થવાનું હતું.
ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર
Ahmedabad to London Flight Cancel: અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI 159માં ટેક્નિકલ ખામીન કારણે તેને રદ કરી દેવામાં આવી. બોઈંગ 788 વિમાન બપોરે 110 વાગ્યે ટેકઑફ થવાનું હતું. આ ઘટના એ જ રૂટ પણ ઘટી છે જ્યાં પહેલા ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રવાસીઓને થયેલી અસુવિધા માટે ઍરલાઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
ગુજરાત, અમદાવાદથી લંડન જનારી ઍર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી જોવા મળી છે. ફ્લાઈટ AI 159, બોઈંગ 788ને રદ કરી દેવામાં આવી છે. આ વિમાન આજે બપોરે 1.10 વાગ્યે અમદાવાદથી ટેક ઑફ કરવાનું હતું, પણ વિમાનમાં ટેક્નિકલ ખામીઓ સર્જાઈ ગઈ હોવાને કારણે, આ ફ્લાઈટને રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી.
ADVERTISEMENT
જણાવવાનું કે આ ફ્લાઈટ એ જ રૂટ પર જવાની હતી, જ્યાં થોડાક દિવસ પહેલા ઍર ઇન્ડિયાની ફ્લાઈટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
મુસાફરો ગભરાટની સ્થિતિમાં
તમને જણાવી દઈએ કે મોટાભાગના મુસાફરો ફ્લાઇટ લેવા માટે ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં, ફ્લાઇટ રદ થવાને કારણે બધામાં ગભરાટનો માહોલ છે. એક મુસાફરે ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું હતું કે, "હું લંડન જઈ રહ્યો હતો, પરંતુ મને હમણાં જ ખબર પડી કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ક્રૂ મેમ્બરોએ ફ્લાઇટ રદ થવા સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી અને ભાડું પરત કરવા અંગે અમને કંઈ ખબર નથી."
ફ્લાઇટ આવતીકાલે થશે રવાના
બીજા મુસાફરે કહ્યું કે અમને હમણાં જ કહેવામાં આવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. હવે આ ફ્લાઇટ આવતીકાલે સવારે 11:00 વાગ્યે લંડન માટે રવાના થશે. આ નિર્ણયથી બધા મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે.
વિમાન દુર્ઘટના પછી ગઈકાલે પહેલી ફ્લાઇટ ઉડાન ભરી
12 જૂને અમદાવાદ (Ahmedabad) વિમાન દુર્ઘટના પછી ગઈકાલે લંડન માટે પહેલી ફ્લાઇટ ઉડાન ભરી હતી. AI 159 બપોરે 1:10 વાગ્યે 200 મુસાફરો સાથે ઉડાન ભરી હતી અને 4:30 વાગ્યે લંડન પહોંચી હતી. તે જ સમયે, આજે લંડન માટે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
વિમાન દુર્ઘટના ૧૨ જૂનના રોજ બની હતી
તમને જણાવી દઈએ કે ૧૨ જૂનના રોજ, તે જ સમયે, ઍર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડન (Ahmedabad to London) માટે ઉડાન ભરી હતી. થોડીવાર પછી, વિમાન અચાનક ઉપર જતું બંધ થઈ ગયું. પાયલોટે વિમાનને ઉપર લઈ જવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ થોડે દૂર ગયા પછી, વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં ૨૪૧ મુસાફરો સહિત ૨૭૯ લોકોના મોત થયા હતા.

