કૉંગ્રેસ જીતે તો EVM બરાબર, હારે તો EVMમાં ખામીઃ PM મોદી
PM મોદીએ કાર્યકરોને સંબોધતા કૉંગ્રેસને લીધી આડેહાથ
વડાપ્રધાન મોદીએ સરકારી એજંસીઓના બહાને કૉંગ્રેસ પર સીધા હુમલા કર્યા. તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભાજપન કાર્યકર્તાઓ સાથે લાઈવ વાતચીત દરમિયાન તેમણે કૉંગ્રેસને આડેહાથ લીધી. વડાપ્રધાને કહ્યું કે કૉંગ્રેસ દરેક ચૂંટણી પહેલા ઈવીએમને લઈને કાગારોળ મચાવવાનું શરૂ કરી દે છે. જેનાથી શંકાનો માહોલ બનાવી શકાય. જો ચૂંટણીમાં કૉંગ્રેસનું પ્રદર્શન સારું રહે તો તે ઈવીએમના પરિણામોનો સ્વીકાર કરે છે.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે કૉંગ્રેસના અલોકતાંત્રિક ચરિત્રને સાચો જવાબ આપવા માટે લોકતંત્રને મજબૂત કરવું પડશે. સૂચના અને જાગૃતિ લોકતંત્ર માટે ખુબ જ જરૂરી છે. આપણે કૉંગ્રેસ અને તેના ખતરનાક ખેલ વિશે લોકોને સતત કહેતા રહેવું પડશે. મોદીએ એ પણ કહ્યું કે કૉંગ્રેસે સેના, કેગ અને લોકતંત્રના તમામ મહત્વના સંસ્થાનોને નીચા બચાવ્યા. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા, કારણ કે તેમને કોર્ટનો નિર્ણય પસંદ નહોતો આવ્યો. તેઓ કોર્ટને ધમકાવીને પોતાનું કામ કરાવવા માંગતા હતા, પરંતુ એવું ન થતા તેમણે ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવાનો પ્રયાસ પણ કર્યો.