ઇન્ડિયાને અંગેના મેસેજવાળી ફિલ્મો કરવાની મોદીજીએ સલાહ આપી છે : રણવીર
વડાપ્રધાન મોદી અને રણવીરસિંહ
રણવીર સિંહનું કહેવું છે કે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ તેમને ભારતને સાંકળી લેતી હોય એવો મેસેજ આપતી ફિલ્મો કરવાની સલાહ આપી છે. આ વર્ષની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીએ બૉલીવુડના યુવા ઍક્ટર્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રણવીરની સાથે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને આયુષ્માન ખુરાનાની સાથે અન્ય ઍક્ટર્સ પણ હતા. આ મુલાકાત વિશે પૂછતાં રણવીરે કહ્યું હતું કે ‘મેં હાલમાં જ પ્રાઇમ મિનિસ્ટર સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ ખૂબ જ સારી રહી હતી.
આ પણ વાંચોઃ અભિનંદન એક સાચો હીરો છે : રણવીર
ADVERTISEMENT
બૉલીવુડના યુવા ઍક્ટર્સ હોવાથી અમે જે કામ કરી રહ્યા છીએ એને ધ્યાનમાં રાખીને અમે તેમના કામનાં વખાણ કયાર઼્ હતાં. તેમણે પણ અમને એક સલાહ આપી હતી કે જો શક્ય હોય તો એવી ફિલ્મો કરવી જેમાં ઇન્ડિયાને સાંકળી લેતો અને યુનિટીનો મેસેજ આપવામાં આવતો હોય.’