Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિનંદન એક સાચો હીરો છે : રણવીર

અભિનંદન એક સાચો હીરો છે : રણવીર

03 March, 2019 09:17 AM IST |

અભિનંદન એક સાચો હીરો છે : રણવીર

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહનું કહેવું છે કે વિંગ કમાન્ડર અભિનંદન એક ખરેખરો હીરો છે. તેની ઘર વાપસીને લઈને દેશભરમાં ખુશી છે અને આ ખુશી વ્યક્ત કરવાની સાથે રણવીરે કહ્યું હતું કે આપણે પુલવામામાં થયેલી ઘટના અને આપણા ૪૦ જવાનોને ન ભૂલવાં જોઈએ. ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની વિમાનની સામે અભિનંદન મિરાજ ૨૧ લઈને એનો સામનો કરી રહ્યો હતો. એ દરમ્યાન તેનું પ્લેન પડી ભાંગતા તે પાકિસ્તાનમાં જઈ પહોંચ્યો હતો. ત્યાં પાકિસ્તાનીઓ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. જોકે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શાંતિની પહેલ કરતાં અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ શુક્રવારે અભિનંદનને વાઘા બોર્ડર મારફતે ભારતને સોંપવામાં આવ્યો હતો. તે દેશ પરત ફર્યો એને લઈને લોકોમાં ઉત્સાહ છે, જેને જોતાં રણવીર સિંહે કહ્યુ હતુ કે ‘આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. હું પણ ખુશ છું. ખૂબ જ સારો દિવસ છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે તાજેતરમાં જ આતંકવાદી હુમલામાં આપણા સૈનિકો શહીદ થયા હતા. મને નથી લાગતુ કે આપણે હજી એ સ્થિતિમાંથી બહાર આવી શક્યા છીએ. અભિનંદન ખરો હીરો છે. તેણે જે રીતે કઠોર પરિસ્થિતિનો સામનો કર્યો અને દેશનું સન્માન જાળવી રાખ્યું, એને જોતાં તે પૂરા દેશ માટે એક પ્રેરણાસમાન છે.’

એક પણ સૈનિકની મમ્મી એમ ઇચ્છતી હોય કે આપણે પાકિસ્તાની આર્ટિસ્ટને બૅન કરવા જોઈએ તો આપણે એ કરવું જોઈએ : રણવીર સિંહ



રણવીર સિંહનું કહેવું છે કે ભારતના દરેક સૈનિકની સાથે આપણે તેમની ફૅમિલીની ભાવાનાઓનું પણ માન રાખવું જોઈએ. પુલવામામાં થયેલા હુમલા બાદ ઘણા ફિલ્મમેકર્સ તેમની ફિલ્મોને પાકિસ્તાનમાં રિલીઝ નથી કરી રહ્યા તેમ જ ઘણા લોકો તેમની સાથે કામ નહીં કરવાનું પણ કહી રહ્યા છે. પાકિસ્તાનના કલાકારોને ભારતમાં કામ આપવામાં આવે કે નહીં એ વિશે પૂછતાં રણવીર સિંહે કહ્યુ હતુ કે ‘મારુ માનવું છે કે કલા અને સ્પોર્ટ્સને આમાં સામેલ ન કરવાં જોઈએ. આ એક અલગ જ વિષય છે અને એની બાઉન્ડરીઝ પણ અલગ છે. એક કલાકાર, સ્પોર્ટ્સમેન અથવા તો દર્શકો એવા પ્રકારે બલિદાન નથી આપતા, જે રીતે આપણા સૈનિકો આપે છે. સૈનિકો અને તેમના પરિવારની ભાવનાઓને આદર આપવો જોઈએ. જો એક પણ સૈનિકની માતા એમ વિચારે કે આપણને પાકિસ્તાનના કલાકારો સાથે કામ ન કરવુ જોઈએ, તો આપણે તેમની એ ઇચ્છાને માન આપવુ જોઈએ. મારા મતે તેઓ જે પણ કહે એ ખૂબ જ મહત્વ ધરાવે છે.’


આ પણ વાંચો : ફ્રી સમય હોવાથી પ્રિયંકાએ કરી હતી ઇઝન્ટ ઇટ રોમૅન્ટિક

દીપિકા અને રણબીર સાથે કામ કરે એનાથી હું ઇનસિક્યૉર નથી : રણવીર


રણવીર સિંહે તાજેતરમાં જ જણાવ્યું હતું કે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર સાથે કામ કરશે તો એનાથી તે ઇનસિક્યૉરિટી નહીં અનુભવે. તેમના સાથે કામ કરવાથી રણવીરને કોઈ ફરક નથી પડતો. દીપિકા અને રણબીરનું અફેર ઘણાં વર્ષો સુધી રહ્યું હતું. તેમણે ‘યે જવાની હૈ દીવાની’ અને ‘તમાશા’માં સાથે કામ કર્યું હતું. એક ઇવેન્ટમાં રણવીરને પૂછવામાં આવ્યું હતું કે શું દીપિકા અને રણબીર સાથે કામ કરે તો એનાથી તુ અસલામતી અનુભવશે? એનો જવાબ આપતાં રણવીરે કહ્યું હતું કે ‘શું હું ખરેખર એક ઇનસિક્યૉર વ્યક્તિ દેખાઈ રહ્યો છું? હું જરા પણ ઇનસિક્યૉરિટી નથી અનુભવતો. હું વર્તમાનમાં જ્યાં છું અને જે છું એનાથી હું ભરપૂર સિક્યૉર છું. હું એ પણ જાણું છું કે જે રીતે હું તેને પ્રેમ કરું છું એટલો પ્રેમ તેને કોઈ નહીં કરી શકે. એથી મને કોઈ ફરક નથી પડતો. દીપિકા પાદુકોણ કો વાઇફ બના દિયા, યે હોતા હૈ અચીવમેન્ટ. તેરે ભાઈ જૈસા કોઈ હાર્ડ ઇચ નહીં હૈ.’

Whatsapp-channel Whatsapp-channel

03 March, 2019 09:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK