શક્તિ અસ્તિત્વ કે એહસાસ કીમાં એન્ટ્રી થશે રૂપલ ત્યાગી અને રૉનિત રૉયની
રૉનિત રૉય
કલર્સ ચૅનલ પર આવતી સિરિયલ ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’માં રૂપલ ત્યાગી અને રૉનિત રૉય બહુ જલદી જોવા મળશે. રૂબીના દિલૈક આ શોમાં સૌમ્યાનું પાત્ર ભજવી રહી છે. આ શોમાં સૌમ્યા તેના જીવનના ઘણા ઉતારચડાવમાંથી પસાર થઈ છે અને હવે તે તેની બહેનના બાળકને દત્તક લેવા માગે છે. આ શોમાં બાળકનો હક કોને મળશે એ માટે હવે લડાઈ ચાલી રહી છે. રૉનિત રૉય આ શોમાં હવે રજત સિંહના પાત્ર દ્વારા એન્ટ્રી કરશે. આ વિશે રૉનિત રૉય કહે છે, ‘આ શોમાં ટ્રાન્સજેન્ડરના રાઇટ્સ વિશે વાત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સંજય ગગનાણીને કુંડલી ભાગ્યના ફૅન્સ દ્વારા આપવામાં આવ્યું નવું નામ
ADVERTISEMENT
સોસાયટીમાં તેમને પણ માન-સન્માન મળવાં જોઈએ એ મેસેજ આ શો દ્વારા આપવામાં આવી રહ્યો છે. આ શોમાં હું રજત સિંહનું પાત્ર ભજવી રહ્યો છું જેની સાથે ટ્રૅજિક ઘટના થઈ હોવાથી તેણે પ્રૅક્ટિસ છોડી દીધી હોય છે. જોકે સૌમ્યાના કેસને કારણે તે ફરી પ્રૅક્ટિસ શરૂ કરશે.’