સિદ્ધાર્થ અને કિયારાએ ૭ ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કરી લીધાં છે
સિદ્ધાર્થ-કિયારા સાથે કોઈ ફિલ્મની ડીલ સાઇન નથી કરી કરણ જોહરે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાથે કોઈ ફિલ્મની ડીલ સાઇન નથી કરી એવું કરણ જોહરે સ્પષ્ટ કર્યું છે. સિદ્ધાર્થ અને કિયારાએ ૭ ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કરી લીધાં છે. તેમનાં લગ્ન બાદ તેમણે દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન ગોઠવ્યું હતું. તેમનાં લગ્નની સૌકોઈ ચર્ચા કરી રહ્યા છે. હવે ચર્ચા એવી પણ છે કે આ ન્યુલી મૅરિડ કપલે કરણ જોહર સાથે ત્રણ ફિલ્મોની ડીલ સાઇન કરી છે. એવું જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારાના સંબંધો કરણ સાથે ખૂબ નજીકના છે. એથી તેમને કોઈ ડીલ સાઇન કરવાની જરૂર નથી પડતી. કરણ તેમને ગમે ત્યારે ફિલ્મ ઑફર કરી શકે છે અને તેમને કૉન્ટ્રૅક્ટમાં બાંધવાની તેને જરૂર નથી. જોકે ત્રણ ફિલ્મોની ડીલ વિશે જ્યારે કરણને પૂછવામાં આવ્યું તો તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી.