Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ કે ગીતની સફળતાની ખાતરી કોઈ ન આપી શકે એવું માનવું છે દિલજિતનું

ફિલ્મ કે ગીતની સફળતાની ખાતરી કોઈ ન આપી શકે એવું માનવું છે દિલજિતનું

28 April, 2024 07:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલજિત દોસંજનું માનવું છે કે ફિલ્મ અને ગીતની સફળતા વિશે કોઈ અંદાજ ન લગાવી શકે. આ તો ભગવાનની કૃપાથી થઈ શકે

દિલજિત દોસંજ

દિલજિત દોસંજ


દિલજિત દોસંજનું માનવું છે કે ફિલ્મ અને ગીતની સફળતા વિશે કોઈ અંદાજ ન લગાવી શકે. આ તો ભગવાનની કૃપાથી થઈ શકે. દિલજિતની ‘અમર સિંહ ચમકીલા’ થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તને લાગે છે કે આ તારો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે, કેમ કે તું જે કંઈ પણ બનાવે છે એ હિટ થઈ જાય છે. એનો જવાબ આપતાં દિલજિત કહે છે, ‘કોઈ પણ એ ખાતરી ન આપી શકે કે કોઈની ફિલ્મ કે ગીત ચોક્કસ હિટ જશે. આ તો ભગવાનની કૃપાથી થાય છે. કોઈ ડિરેક્ટર કે ઍક્ટર એમ ન કહી શકે કે ફિલ્મમાં હું છું એટલે ફિલ્મ હિટ ગઈ છે. એવું જરા પણ નથી. બધું ભગવાનની ઇચ્છાથી થાય છે.’

દિલજિત દોસંજનું કહેવું છે કે તે પોતાની જાતને એક દર્શક માને છે. તે ફિલ્મો અને ગીતો દર્શકોના દૃષ્ટિકોણથી જુએ છે. જો તેને કોઈ વસ્તુ ગમે તો દર્શકોને પણ અચૂક ગમશે એવુ તેનું માનવું છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK