દિલજિત દોસંજનું માનવું છે કે ફિલ્મ અને ગીતની સફળતા વિશે કોઈ અંદાજ ન લગાવી શકે. આ તો ભગવાનની કૃપાથી થઈ શકે
દિલજિત દોસંજ
દિલજિત દોસંજનું માનવું છે કે ફિલ્મ અને ગીતની સફળતા વિશે કોઈ અંદાજ ન લગાવી શકે. આ તો ભગવાનની કૃપાથી થઈ શકે. દિલજિતની ‘અમર સિંહ ચમકીલા’ થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તને લાગે છે કે આ તારો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે, કેમ કે તું જે કંઈ પણ બનાવે છે એ હિટ થઈ જાય છે. એનો જવાબ આપતાં દિલજિત કહે છે, ‘કોઈ પણ એ ખાતરી ન આપી શકે કે કોઈની ફિલ્મ કે ગીત ચોક્કસ હિટ જશે. આ તો ભગવાનની કૃપાથી થાય છે. કોઈ ડિરેક્ટર કે ઍક્ટર એમ ન કહી શકે કે ફિલ્મમાં હું છું એટલે ફિલ્મ હિટ ગઈ છે. એવું જરા પણ નથી. બધું ભગવાનની ઇચ્છાથી થાય છે.’
દિલજિત દોસંજનું કહેવું છે કે તે પોતાની જાતને એક દર્શક માને છે. તે ફિલ્મો અને ગીતો દર્શકોના દૃષ્ટિકોણથી જુએ છે. જો તેને કોઈ વસ્તુ ગમે તો દર્શકોને પણ અચૂક ગમશે એવુ તેનું માનવું છે.