કોરોના વાઇરસના અનુભવ વિશેની બુક લૉન્ચ કરશે અનુપમ ખેર
અનુપમ ખેર
અનુપમ ખેરે કોરોના વાઇરસના અનુભવ વિશેની બુક લખી છે જેને તે બહુ જલદી રિલીઝ કરશે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને તેમણે આ જાહેરાત કરી હતી. વિડિયો શૅર કરીને તેમણે ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી, ‘આ મહામારીએ આપણી લાઇફને હંમેશ માટે બદલી નાખી છે. એને કારણે આપણે પોતાની જાતને ઓળખવાની સાથે આપણો વિલ પાવર પણ વધુ મજબૂત બન્યો છે અને પૉઝિટિવ વિચારવાની શક્તિ પણ વધી છે. આ તમામ બાબત વિશે લૉકડાઉનમાં મેં એક બુક લખી છે. એ વિશે વધુ માહિતી જણાવીશ. જય હો.’
આ વિડિયોમાં અનુપમ ખેરે કહ્યું છે કે ‘આ મહામારી અને લૉકડાઉન દરમ્યાન હું મુંબઈથી ન્યુ યૉર્ક ગયો હતો. હું મુંબઈમાં આઠ મહિના રહ્યો છું. એ દરમ્યાન મેં ઘણા ઉતાર-ચડાવ, સ્ટ્રગલ્સ અને લોકોને એક થતા જોયા છે. મારી ફૅમિલી બીમાર પડી હતી. આપણે બધાએ ઘણી બાબતોનો એક્સ્પીરિયન્સ કર્યો છે. આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે આપણે આ તમામમાંથી પસાર થઈશું. શરૂઆતમાં હું ડરી ગયો હતો. મારામાં ઇનસિક્યૉરિટી આવી ગઈ હતી. જોકે મેં પૉઝિટિવ બાજુ જોઈ તો ખબર પડી કે ફૅમિલી પહેલાં કરતાં વધુ નજીક આવ્યું છે.
ADVERTISEMENT
લોકોને તેમની નવી હૉબી વિશે જાણ થઈ છે. આ વિશે મેં એક બુક લખી છે જે પબ્લિશ થવા માટે તૈયારી કરી રહી છે.’