RBIના ગવર્નર ગુરુવારે બૅન્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર્સને મળશે
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસ
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસ આ સપ્તાહે વ્યાજદરના ઘટાડાને ગ્રાહકો પર પસાર કરવા અંગેની ચર્ચા કરવા જાહેર અને ખાનગી ક્ષેત્રની બૅન્કોના વડાને મળશે એમ ગવર્નરે ગઈ કાલે કહ્યું હતું. નાણાપ્રધાન અરુણ જેટલીએ મધ્યસ્થ બૅન્કના બોર્ડને સંબોધ્યું એ પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ નિર્ણય મહત્વનો છે.
આ પણ વાંચો : SCએ રિલાયન્સ ઇન્ફ્રાની DMRC વિરુદ્ધની સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે હું ૨૧ ફેબ્રુઆરીએ બૅન્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર્સને મળીશ. મહિનાના પ્રારંભે રિઝર્વ બૅન્કે બેન્ચમાર્ક વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડીને ૬.૨૫ ટકા કર્યો હતો.