સેહવાગ કહે છે કે આવતી કાલથી શરૂ થતી ફાઇનલમાં પરિસ્થિતિ જે પણ હશે ભારતીય બોલરો કમાલ બતાવશે
વીરેન્દર સેહવાગ
ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આવતી કાલથી શરૂ થતી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ક્રિકેટ-પંડિતો કહી રહ્યા છે કે જો સ્વિંગ બોલરોને અનુરૂપ મોસમ હશે તો ન્યુ ઝીલૅન્ડનો હાથ ઉપર રહેશે અને જો સ્પિન-ફ્રેન્ડ્લી કન્ડિશન હશે તો ભારતીય ટીમ ટૉપમાં રહેશે. જોકે ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વીરેન્દર સેહવાગ કહે છે કે જે પ્રકારની કન્ડિશન હોય, ભારતીય બોલિંગ-અટૅક તેનો દમ બતાવશે.
સેહવાગે કહ્યું કે ભારતીય ટીમ પાસે મજબૂત બોલિંગ-અટૅક છે અને એટલે જ તેણે ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર બે-બે વખત હરાવ્યું હતું અને આજે રૅન્કિંગ્સમાં ટૉપમાં છે અને ફાઇનલમાં રમી રહ્યું છે. મોહમદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાન્ત શર્મા, રવિચન્દ્રન અશ્વિન સાથે ભારતીય બૉલિંગ-અટૅક એકદમ પર્ફેક્ટ છે. આથી જો સ્વિંગ અને સીમ બોલરોને અનુકૂળ પરિસ્થિતિ હશે તો ભારતીય પેસ બોલરો દમ બતાવશે અને સ્પિન માટે હશે તો અશ્વિન અને જાડેજા તો છે જ. મને આ બોલિંગ-યુનિટ પર પૂરેપૂરો ભરોસો છે અને ફાઇનલમાં તેઓ દમ બતાવશે.’
ADVERTISEMENT
સેહવાગે કહ્યું કે બોલરોને યોગ્ય ક્રેડિટ આપવાની જરૂર છે, કેમ કે તેમના વગર પર નંબર-વન ન બની શકો. બૅટ્સમેનો કરતાં બોલરોને વધુ શ્રેય આપવાની જરૂર છે, કેમ કે તમારે જીતવા માટે ૨૦ વિકેટ લેવી જરૂરી છે. ભારતીય બોલરો છેલ્લા કેટલાક સમયથી એ કરતા આવ્યા છે એટલે જ ટીમ આવતી કાલે ફાઇનલમાં રમશે.