વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કોહલી-અનુષ્કા લંડનમાં ફરતા જોવા મળ્યા
Mumbai : ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019માં સેમી ફાઇનલમાં હારીને બહાર થઇ ગઇ છે. આ હારે કરોડો ભારતીયોનાં દિલ તોડી દીધા. સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાક ફેન્સ ભારતીય ટીમનાં સમર્થનમાં લખી રહ્યા છે તો કેટલાક ફેન્સ ટ્રોલ કરી રહ્યા છે. આ દરમિયાન એકવાર ફરી ફેન્સનાં નિશાને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આવ્યા છે. બંને લંડનમાં જ છે અને સાથે સમય પસાર કરી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું કે, ‘અમને હજુ અહીં હ્રદયમાં ઝાટકા વાગી રહ્યા છે અને આ ત્યાં ફરી રહ્યા છે.’ તો એક અન્ય યૂઝરે લખ્યું કે, ‘ટાઇમ સ્પેન્ડ કરવા તો ગયા છે. રમતમાં તો ધ્યાન લાગ્યું નહીં.’ તો વિરાટ કોહલીનાં ફેન ક્લબે તસવીર શેર કરતા કહ્યું કે, ‘તમારો જ પ્રેમ હશે હવામાં, અમારો તો તમે ખોઈ દીધો નહીં તો આજે ફાઇનલમાં હોત.’
ADVERTISEMENT
એક અન્ય યૂઝરે લખ્યું છે કે, ‘જ્યાં કેટલાક લોકો હજુ પણ હારને ભૂલી શક્યા નથી ત્યાં આ લોકોની અલગ જ દુનિયા છે.’ કેટલાક લોકોએ તો અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સેમિ-ફાઇનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થયો હતો. આ મેચમાં વિરાટ કોહલી ફક્ત 1 રન મારીને આઉટ થયો હતો. આ ઉપરાંત આંકડાઓને જોઇએ તો વિરાટ કોહલી આઈસીસી ટૂર્નામેન્ટની મોટી મેચો (સેમિ-ફાઇનલ, ફાઇનલ) માં ફ્લૉપ રહ્યો છે અને એકપણ અડધી સદી કે સદી ફટકારી શક્યો નથી.