Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅચ જીત્યા બાદ શ્રેયસ ઐયરે સાથી પ્લેયર શશાંક સિંહને જાહેરમાં કેમ કહ્યા અપશબ્દો?

મૅચ જીત્યા બાદ શ્રેયસ ઐયરે સાથી પ્લેયર શશાંક સિંહને જાહેરમાં કેમ કહ્યા અપશબ્દો?

Published : 03 June, 2025 10:12 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ દરમ્યાન ૧૬મી ઓવરમાં જ્યારે ઐયરની નેહલ વઢેરા સાથેની ચોથી વિકેટની ૮૪ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી તૂટી ત્યારે શશાંક છઠ્ઠા ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો

શ્રેયસ ઐયર, શશાંક સિંહ

શ્રેયસ ઐયર, શશાંક સિંહ


મુંબઈ ઇન્ડિયન્સ સામે ક્વૉલિફાયર-ટૂ મૅચ જીત્યા બાદ પંજાબ કિંગ્સનો કૅપ્ટન શ્રેયસ ઐયર મેદાન પર અન્ય પ્લેયર્સને મળતા સમયે સાથી પ્લેયર શશાંક સિંહ પણ બરાબર અકળાયો હતો. તેને જાહેરમાં હાથ બતાવીને અપશબ્દો બોલતા ઐયરનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.


મૅચ દરમ્યાન ૧૬મી ઓવરમાં જ્યારે ઐયરની નેહલ વઢેરા સાથેની ચોથી વિકેટની ૮૪ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી તૂટી ત્યારે શશાંક છઠ્ઠા ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો, પરંતુ ૧૭મી ઓવરમાં નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર રન માટે ધીમી દોડ લગાવતાં શશાંક કૅપ્ટન હાર્દિક પંડ્યાના હાથે રનઆઉટ થયો હતો. શશાંક સિંહ (ત્રણ બૉલમાં બે રન)ની વિકેટ ૧૬૯ રનના સ્કોર પર પડી હતી, જ્યારે તેની સૌથી વધુ જરૂર હતી. આ આળસને કારણે ઐયરે તેને જાહેરમાં ખખડાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 10:12 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK