Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ કપમાં ચોથા સ્થાનને લઇને સૌરવ ગાંગુલીએ કહી આ મોટી વાત

વર્લ્ડ કપમાં ચોથા સ્થાનને લઇને સૌરવ ગાંગુલીએ કહી આ મોટી વાત

15 March, 2019 06:48 PM IST |

વર્લ્ડ કપમાં ચોથા સ્થાનને લઇને સૌરવ ગાંગુલીએ કહી આ મોટી વાત

સૌરવ ગાંગુલીએ કહી આ મોટી વાત

સૌરવ ગાંગુલીએ કહી આ મોટી વાત


આઇપીએલ બાદ દરેક ટીમો વર્લ્ડ કપની તૈયારીઓમાં લાગી જશે. ઇન્ડિયાન પ્રીમિયર લીગ બાદ માત્ર થોડા જ દિવસોમાં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થઇ જશે. ત્યારે ભારતના પુર્વ સુકાની સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપમાં ચોથા સ્થાન માટે એક મહત્વની વાત કહી હતી. તેના કહેવા પ્રમાણે ચોથા નંબર પર ટીમ મેનેજમેન્ટ સતત પ્લેયર્સને ટ્રાય કરી રહી છે. તેમ છતાં હજુ સુધી કોઈ પ્લેયર ચોથા સ્થાને બેટિંગ કરવા માટે પરફેક્ટ સાબિત થયો નથી. આ નંબર માટે ટીમ ઇન્ડિયા ઘણા બધા કોમ્બિનેશન ટ્રાય કરી રહી છે. જેને લઇને સૌરવ ગાંગુલીએ એવા પ્લેયરને ચોથા નંબરે રમાડવા માટે કહ્યું છે જે છેલ્લા ઘણા સમયથી વન-ડે ટીમથી બહાર ચાલી રહ્યો છે.

ભારતીય ટીમ ચોથા નંબરના સ્થાન માટે છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ પહેલા વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર એક પ્રેસ કોન્ફરન્સમાં અંબાતી રાયડૂને ચોથા સ્થાને પરફેક્ટ ગણાવ્યો હતો. જો કે અંબાતી રાયડૂનું પ્રદર્શન સતત કોન્સ્ટન્ટ રહ્યું નથી.



સૌરવ ગાંગુલી અનુસાર ભારતીય ટીમમાં ચોથા સ્થાને ચેતેશ્વર પુજારાએ રમવુ જોઈએ. સૌરવ ગાંગુલી અનુસાર ચોથા સ્થાન પર એવા પ્લેયરનું હોવુ જરુરી છે જે ગેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રમી શકે છે. ગાંગુલીએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે, છેલ્લી ઘણી મેચોમાં જોવામાં આવ્યું છે કે ટીમ ચોથા સ્થાન માટે ઘણા સમયથી ઝઝૂમી રહી છે અને કોઈ બેટ્સમેનને સેટ નથી કરી શકતી.


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2019 06:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK