મૂર્તિકાર મુકેશ ભારદ્વાજે રાજસ્થાનના ભૈંસલાનાથી આવેલા ૪૫થી ૫૦ ટન વજન ધરાવતા ૩૦X૨૦ ફુટના એક આરસ પથ્થરમાંથી આ ઉત્કૃષ્ટ મૂર્તિ કંડારી છે
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
જયપુરના શિલ્પકારે આરસના એક જ પથ્થરમાંથી ૧૮.૫ ફુટ ઊંચી કાલી માતાની ભવ્ય મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિ કેરલાના તિરુવનંતપુરમમાં આવેલા પૌર્ણમિકાવુ મંદિરમાં બિરાજમાન થશે. મૂર્તિકાર મુકેશ ભારદ્વાજે રાજસ્થાનના ભૈંસલાનાથી આવેલા ૪૫થી ૫૦ ટન વજન ધરાવતા ૩૦X૨૦ ફુટના એક આરસ પથ્થરમાંથી આ ઉત્કૃષ્ટ મૂર્તિ કંડારી છે. પીદમ (પીત્તળનું સ્ટૅન્ડ) સાથે આ મૂર્તિની ઊંચાઈ ૨૩ ફુટની છે. કેરલાના પૌર્ણમિકાવુ મંદિરમાં કાલી માતાની મૂર્તિને દેવી દુર્ગા અને દેવી લક્ષ્મીની ૧૨ ફુટ ઊંચી મૂર્તિઓની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે. દેવી બાલા ત્રિપુરા સુંદરી દેવીને સમર્પિત પૌર્ણમિકાવુ મંદિર વિશ્વની સૌથી મોટી પંચમુખી ગણેશની મૂર્તિ અને ૫૧ અક્ષર દેવતાઓ માટે પ્રસિદ્ધ છે.