કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન બૂટા સિંહનું નિધન
બૂટા સિંહ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહપ્રધાન બૂટા સિંહ (Buta Singh)નું લાંબી બિમારી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. બૂટા સિંહે ગૃહ, કૃષિ, રેલવે, સ્પોર્ટ્સમંત્રી અને અન્ય કાર્યભાર ઉપરાંત બિહારના રાજ્યપાલ અને રાષ્ટ્રીય અનૂસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ વિભાગોનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શોક વ્યક્ત કર્યો છે.
21 માર્ચ, 1934ના રોજ પંજાબના જાલંધરના મુસ્તફાપુર ગામમાં જન્મેલા બૂટા 8 વખત લોકસભા માટે ચૂંટાયા હતા. 1977માં જનતા પાર્ટીની લહેરના કારણે કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી. ત્યારપછી પાર્ટી વિભાજીત પણ થઈ ગઈ હતી. ત્યારે બૂટા સિંહે ઈન્દીરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસના એકમાત્ર રાષ્ટ્રીય મહાસચિવના રૂપમાં તનતોડ મહેનત પછી પાર્ટીને 1980માં ફરી સત્તામાં લાવવા માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી.
ADVERTISEMENT
બૂટા સિંહના નિધન અંગે દુ:ખ વ્યક્તર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ‘બૂટા સિંહજી એક અનુભવી પ્રશાસક હતા. ગરીબોના કલ્યાણ માટે તેમણે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકો સાથે મારી સંવેદનાઓ છે.’
Shri Buta Singh Ji was an experienced administrator and effective voice for the welfare of the poor as well as downtrodden. Saddened by his passing away. My condolences to his family and supporters.
— Narendra Modi (@narendramodi) January 2, 2021
કોંગ્રેસના રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘સરદાર બૂટા સિંહ જીના અવસાનથી દેશએ એક સાચા લોકસેવક અને વફાદાર નેતા ગુમાવ્યા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવા અને લોકોની સુખાકારી માટે સમર્પિત કર્યું, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યેની મારી સંવેદના.’
सरदार बूटा सिंह जी के देहांत से देश ने एक सच्चा जनसेवक और निष्ठावान नेता खो दिया है।
— Rahul Gandhi (@RahulGandhi) January 2, 2021
उन्होंने अपना पूरा जीवन देश की सेवा और जनता की भलाई के लिए समर्पित कर दिया, जिसके लिए उन्हें सदैव याद रखा जाएगा।
इस मुश्किल समय में उनके परिवारजनों को मेरी संवेदनाएँ।
બૂટા સિંહના પરિવારમાં પત્ની, બે દીકરા અને દીકરી છે.