Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત-પાક વચ્ચે અમે નહીં આવીએ, તેઓ જાતે જ સમસ્યાનું સમાધાન કરે

ભારત-પાક વચ્ચે અમે નહીં આવીએ, તેઓ જાતે જ સમસ્યાનું સમાધાન કરે

18 April, 2024 08:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું એવા મોદીના નિવેદન પર અમેરિકાનું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારીશું એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન વિશે જ્યારે અમેરિકાના વિદેશ ખાતાના પ્રવક્તા મૅથ્યુ મિલરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મેં અગાઉ જ કહ્યું છે, અમેરિકા ક્યારે પણ પાકિસ્તાન કે ભારતની વચ્ચે નહીં આવે. બન્ને દેશ વાતચીતના માધ્યમથી સમસ્યાઓનું સમાધાન કરે.’

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની કથિત હત્યાના ષડ્યંત્રને લઈ અમેરિકાએ ભારત પર કોઈ પ્રતિબંધ કેમ લગાવ્યા નથી એવા સવાલના જવાબમાં મિલરે કહ્યું કે ‘હું ક્યારે પણ કોઈ પણ પ્રતિબંધ લગાવવાની કાર્યવાહીનું પૂર્વાવલોકન નથી કરતો, અમેરિકા પ્રતિબંધોની બાબતે જાહેરમાં ચર્ચા નથી કરતું. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ પાંચમી એપ્રિલે પ્રકાશિત કરેલા અહેવાલમાં આરોપ લગાવ્યો હતો કે ભારત પાકિસ્તાનમાં ટાર્ગેટેડ કિલિંગ કરાવે છે. અખબારનું કહેવું હતું કે ભારત પાકિસ્તાનમાં અંદર ઘૂસીને લોકોની હત્યા કરાવે છે. આ અહેવાલ પ્રકાશિત થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં હૃષીકેશની સભામાં કહ્યું હતું કે આજે દેશમાં એક મજબૂત સરકાર છે. આ મજબૂત મોદી સરકારમાં આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK