વાયુસેના પ્રમુખે કોંગ્રેસ ઓફિસની સામે તૈનાત કરી દીધું 'રાફેલ' !
Image courtesy : ANI
લોકસભાની ચૂંટણી દરમિયાન રાફેલનો મુદ્દો ખૂબ જ ઉછળ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આખા ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન રાફેલને લઈ પીએમ મોદી પર પ્રહાર કર્યા. હવે દેશના દરેક વ્યક્તિને રાફેલ વિશે જાણ છે. જો કે આશ્ચર્યજનક વાત એ છે કે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસની સામે આ જ 'રાફેલ' તૈનાત કરી દેવાયું છે.
24 અકબર રોડ પર જ્યાં કોંગ્રેસ પક્ષની મુખ્ય ઓફિસ આવેલી છે, ત્યાં જ હાલના વાયુસેના પ્રમુખ બી. એસ. ધનોઆએ રાફેલ તૈનાત કર્યું છે. કોંગ્રેસ ઓફિસની નજીક જ વાયુસેના ચીફ બી. એસ. ધનોઆનું ઘર આવેલું છે. તેમણે પોતાના ઘરની બહાર રાફેલની પ્રતિકૃતિ લગાવી છે. આ પ્રતિકૃતિ દિલ્હીના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ADVERTISEMENT
કેટલાક દિવસો પહેલા જ બી. એસ. ધાનોઆની આગેવાનીમાં ભારતીય વાયુસેનાએ મિગ 21 ફાઈટર જેટની સક્વોડ્રન દ્વારા શહીદોના પરિવારને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા સમયે તેમણે કહ્યું હતું કે વાયુસેના ફાઈટર જેટની બેસબ્રીથી રાહ જોઈ રહી છે.
Replica of Rafale jet erected outside Air Chief Marshal BS Dhanoa’s residence in Delhi. His residence is next to Congress Headquarters. pic.twitter.com/Icoo63G2At
— ANI (@ANI) May 31, 2019
ત્યારથી જ તેમના આ નિવેદનને લઈ ચર્ચા ચાલી રહી હતી. હવે રાફેલ વિમાનની પ્રતિકૃતિ ધાનોઆના ઘરની બહાર લાગી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં રાફેલ વિમાન ભારત આવશે. આ પ્રતિકૃતિ પરથી સ્પષ્ટ છે કે ભારત સરકાર આ મામલે પોતાના વલણ પર અડગ છે.
આ પણ વાંચોઃ મોદીએ ક્યું મંત્રાલય કોને આપ્યું, જાણો અહીં સત્તાવાર યાદી...
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ રાફેલ ડીલમાં કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. જેના પર મોદી સરકાર બેકફૂટ પર હતી. આ જ મુદ્દે રાહુલ ગાંધીએ પોતાની રેલીમાં ચૌકીદાર ચોર હૈના નારા પણ લગાવ્યા હતા. જો કે આ મુદ્દો કોંગ્રેસ માટે બૂમરેંગ સાબિત થયો હતો. નરેન્દ્ર મોદીએ મેં ભી ચૌકીદાર કેમ્પેઈન ચલાવીને કોંગ્રેસની વ્યૂહરચના ઉંધી વાળી દીધી. અને કોંગ્રેસનો કારમો પરાજય થયો.