NEET UG 2024 Hearing: કહેવામાં આવ્યું કે જ્યારે `નક્કર આધારો` મળશે કે ખરેખર પરીક્ષાને મોટા પાયે અસર થઈ છે. ત્યારે જ ફેર પરીક્ષાનો વિચાર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- નક્કર પુરાવાઓ આપવાના રહેશે તો જ પુનઃ પરીક્ષા અંગે વિચાર કરવામાં આવશે
- કોર્ટે હુડ્ડાને દેશમાં મેડિકલ સીટો અંગે પણ પૂછ્યું હતું
- કહેવાયું કે એક નક્કર પુરાવો હોવો જોઈએ કે સમગ્ર પરીક્ષાની અખંડિતતા પર અસર થઈ છે
સુપ્રીમ કોર્ટે UGC-NEET પરીક્ષા સંબંધિત 40થી પણ વધારે અરજીઓ પર સુનાવણી (NEET UG 2024 Hearing)ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજે આ સંબંધિત સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ફેર પરીક્ષાને લઈને કઈ શરત મૂકી છે SCએ?
ADVERTISEMENT
UGC-NEET પરીક્ષાને મામલે આજે જે સુનાવણી (NEET UG 2024 Hearing) ચાલી રહી છે તેમાં કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે `નક્કર આધારો` મળશે કે ખરેખર પરીક્ષાને મોટા પાયે અસર થઈ છે. ત્યારે જ ફેર પરીક્ષાનો વિચાર કરવામાં આવશે.
આ દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે, `અમે ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપી શકીએ એમ નથી. કારણ કે 23 લાખમાંથી માત્ર 1 લાખને જ પ્રવેશ મળી શકે કેમ છે. જો સમગ્ર પરીક્ષાને અસર થઈ છે એવું કહેવામાં આવે છે તો તે મુદ્દે નક્કર પુરાવાઓ આપવાના રહેશે. તો જ પુનઃ પરીક્ષા અંગે વિચાર કરવામાં આવશે.’
મુખ્ય ન્યાયાધીશે અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ નરેન્દ્ર હુડ્ડાને જણાવ્યું હતું કે તે સ્પષ્ટ કરવું જોઈએ કે પેપર લીક એટલું પ્રણાલીગત હતું અને સમગ્ર પરીક્ષાને અસર કરે છે જેથી સમગ્ર પરીક્ષા રદ કરવાની ખાતરી કરી શકાય.
સુનાવણી (NEET UG 2024 Hearing) દરમિયાન કોર્ટે હુડ્ડાને દેશમાં મેડિકલ સીટો અંગે પણ પૂછ્યું હતું. આ મુદ્દે કોર્ટને કહેવામાં આવ્યું કે આ સંખ્યા 1 લાખ 8 હજાર હતી. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે ફરીથી પરીક્ષા લઈ શકાય છે. આ સાથે જ આમ કરવામાં આવે તો 1 લાખ 8 હજાર રિટેસ્ટ થવાના ચાંસ છે.
પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ હોય
હુડ્ડાએ જણાવ્યું હતું કે આ તમામ 22 લાખ લોકોને બીજી તક આપવામાં આવે. ત્યારે CJIએ કહ્યું હતું કે અમે ફેર પરીક્ષાનો આદેશ આપી શકતા નથી કારણ કે તેઓ ફરીથી પેપર આપવા માંગે છે. કોર્ટે કહ્યું કે આવું ત્યારે જ થઈ શકે જ્યારે પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ હોય.
CJI ચંદ્રચુડે હુડ્ડાને દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા અંગે પણ પૂછ્યું હતું. તે પર વરિષ્ઠ વકીલે બેન્ચને માહિતી આપી હતી કે સંખ્યા 1,08,000 છે, અને દલીલ કરી હતી કે પુનઃપરીક્ષણના કિસ્સામાં અગાઉ હાજર થયેલા 23 લાખને બદલે માત્ર એટલા જ ઉમેદવારો હશે.
CJIએ કહ્યું કે ફેર પરીક્ષા માટે એક નક્કર પુરાવો હોવો જોઈએ કે સમગ્ર પરીક્ષાની અખંડિતતા પર અસર થઈ છે." આ સાથે જ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે "CBI તપાસ કરી રહી છે. જો સીબીઆઈએ અમને જે કહ્યું છે તેનો ખુલાસો થશે તો આ કેસની તપાસ પર અસર થશે.”
પ્રામાણિક ઉમેદવારોને જોખમમાં મૂકી શકે છે
5 મેના રોજ 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર 23.33 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET-UG પરીક્ષા (NEET UG 2024 Hearing) આપી હતી. જેમાં 14 જેટલા વિદેશી શહેરોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર અને NTA સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે મોટા પાયે ગોપનીયતા ભંગના કોઈ પુરાવાની ગેરહાજરીમાં પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવો એ ‘પ્રતિકૂળ’ હશે હશે અને લાખો પ્રમાણિક ઉમેદવારોને ગંભીર જોખમમાં મૂકી શકે છે.

