Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની પ્લેન-દુર્ઘટનામાં પાઇલટને દોષી ઠેરવવાનું દુર્ભાગ્યપૂર્ણ: સુપ્રીમ કોર્ટ

અમદાવાદની પ્લેન-દુર્ઘટનામાં પાઇલટને દોષી ઠેરવવાનું દુર્ભાગ્યપૂર્ણ: સુપ્રીમ કોર્ટ

Published : 23 September, 2025 09:30 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોર્ટે કહ્યું હતું કે ‘તપાસ પૂરી થાય એ પહેલાં એની માહિતી લીક થાય એ દુર્ભાગ્યપૂર્ણ છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


૧૨ જૂને અમદાવાદમાં થયેલી ઍર ઇન્ડિયાના પ્લેનની દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો રિપોર્ટ લીક થવા પર સોમવારે સુપ્રીમ કોર્ટે સખત વલણ દાખવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ‘તપાસ પૂરી થાય એ પહેલાં એની માહિતી લીક થાય એ દુર્ભાગ્યપૂર્ણ છે. એમાંય પાઇલટને દોષ આપવાની કોશિશ ખોટી છે.’

આ હાદસાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવાની જનહિત યાચિકા પર સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે ‘જ્યાં સુધી તપાસ પૂરી નથી થતી એને લઈને ગુપ્તતા રાખવી બહુ જ મહત્ત્વપૂર્ણ છે. કટકે-કટકે માહિતી લીક કરવાને બદલે તપાસમાં તાર્કિક નિષ્કર્ષ ન નીકળે ત્યાં સુધી ગોપનીયતા રાખવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2025 09:30 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK