Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહલગામમાં જે જગ્યાએ હુમલો થયો એનું નામ શહીદ હિન્દુ ઘાટી ટૂરિસ્ટ પ્લેસ કરવાની માગણી

પહલગામમાં જે જગ્યાએ હુમલો થયો એનું નામ શહીદ હિન્દુ ઘાટી ટૂરિસ્ટ પ્લેસ કરવાની માગણી

Published : 21 May, 2025 01:02 PM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહલગામમાં જ્યાં ૨૬ પ્રવાસીઓની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી એ સ્થળનું નામ બદલવા વિશેની અરજી મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહલગામમાં જ્યાં ૨૬ પ્રવાસીઓની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી એ સ્થળનું નામ બદલવા વિશેની અરજી મંગળવારે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી. એમાં માગણી કરવામાં આવી હતી કે આતંકવાદીઓ દ્વારા જ્યાં આ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી એ સ્થળનું નામ ‘શહીદ હિન્દુ ઘાટી ટૂરિસ્ટ પ્લેસ’ રાખવું જોઈએ. આ ઉપરાંત હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શહીદનો દરજ્જો આપવો જોઈએ એવી માગણી પણ કરવામાં આવી છે. આ અરજીને મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને ન્યાયાધીશ સુમિત ગોયલની બેન્ચે ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું હતું કે ‘આવી માગણી પર નિર્ણય ફક્ત સરકાર અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા જ લઈ શકાય છે. આમાં કોર્ટની કોઈ ભૂમિકા ન હોઈ શકે. કોઈ સ્થળ જાહેર કરવું કે સ્મારક નક્કી કરવું કે એનું નામ બદલવું અને શહીદનો દરજ્જો આપવો એ સરકારનું કામ છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2025 01:02 PM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK