દિગ્વિજય સિંહના વિવાદિત બોલ, કહ્યું- ISIથી મળે છે ભાજપને ફંડ
દિગ્વિજય સિંહનું વધુ એક વિવાદિત નિવેદન
દિગ્વિજય સિંહ ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દિગ્વિજયે ભાજપ અને બજરંગ દળ પર હુમલો કરતા કહ્યું કે ભાજપ અને બજરંગ દળને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પાસેથી ફંડિંગ મળે છે. દિગ્વિજય સિંહ આટલામાં જ ન રોકાયા. તેમણે એવું પણ કહ્યું કે મુસ્લિમો કરતા ગેર મુસ્લિમો ISI માટે જાસૂસી કરી રહ્યા છે.
#WATCH MP: Congress leader Digvijaya Singh says, "Bajrang Dal, Bharatiya Janata Party (BJP) are taking money from ISI (Inter-Services Intelligence). Attention should be paid to this. Non-Muslims are spying for Pakistan's ISI more than Muslims. This should be understood." (31.08) pic.twitter.com/NPxltpaRZA
— ANI (@ANI) September 1, 2019
ADVERTISEMENT
સમાચાર એજન્સી એએનઆઈએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં દિગ્વિજય સિંહ એમ કહેતા નજર આવી રહ્યા છે કે તેમણે કહ્યું કે ભાજપ અને બજરંગ દળ ISI પાસેથી પૈસા લઈ રહ્યા છે, તેના પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. દિગ્વિજય સિંહના આ નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. આ પહેલા રાહુલ ગાંધીએ કશ્મીર પર આપેલા નિવેદનના કારણે તેમને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. બાદમાં રાહુલે સફાઈ પણ આપવી પડી હતી. આવામાં દિગ્વિજય સિંહના આ નિવેદન બાદ કોંગ્રેસની આલોચના થવાનું નક્કી છે.
આ પણ જુઓઃ પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો
વિવાદો અને દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહનો વિવાદોનો જૂનો નાતો છે. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામાં હુમલાને પણ દુર્ઘટના ગણાવી હતી. જેના કારણે તેની ખૂબ જ આલોચના થઈ હતી. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે પુલવામાં દુર્ઘટના બાદ અમારી વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈકને લઈને કેટલીક વિદેશી મીડિયામાં સંદેહ પેદા કરી રહ્યા છે, જેનાથી ભારત સરકારની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી રહ્યું છે.