Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમરનાથ, માતા વૈષ્ણો દેવી અને શિવ ખોડી યાત્રા બીજે દિવસે પણ સ્થગિત

અમરનાથ, માતા વૈષ્ણો દેવી અને શિવ ખોડી યાત્રા બીજે દિવસે પણ સ્થગિત

Published : 21 July, 2026 08:44 AM | IST | Jammu and kashmir
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુમાં પૂંછ જિલ્લાના લોરનમાં ફરી ભૂસ્ખલન, એક જ પરિવારના ૭ જણે જીવ ગુમાવ્યા

ગઈ કાલે રાજૌરીની મુનાવર નદીમાંથી એક મૃતદેહને બહાર કાઢતા સુરક્ષાજવાનો.

ગઈ કાલે રાજૌરીની મુનાવર નદીમાંથી એક મૃતદેહને બહાર કાઢતા સુરક્ષાજવાનો.


જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના લોરન વિસ્તારમાં ગઈ કાલે ફરી એક વાર ભૂસ્ખલન થતાં એક જ પરિવારના સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. પૂંછ અને પાડોશી રાજૌરીમાં સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન ચાલુ છે; જેના કારણે ઘરો, રસ્તાઓ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ, માતા વૈષ્ણો દેવી અને શિવ ખોડી યાત્રાઓ ગઈ કાલે સતત બીજા દિવસે પણ સ્થગિત રહી હતી. ભારે વરસાદની ચેતવણી બાદ અમરનાથ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી હોવાથી જમ્મુ, ઉધમપુર અને રામબનથી શ્રીનગર તરફ કોઈ પણ યાત્રાળુ વાહનોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી નથી. 



નાગાલૅન્ડમાં પૂર અને ભૂસ્ખલનથી ૪ મોત, પાંચ જણ મિસિંગ


હિમાચલમાં રેડ અલર્ટ
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હિમાચલ પ્રદેશ માટે રેડ અલર્ટ જાહેર કરી છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપવામાં આવી છે

આસામમાં સેનાએ ઑપરેશન જલ રાહત શરૂ કર્યું


આસામમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ભારતીય લશ્કરે આસામ સરકારની મદદ માટે ‘ઑપરેશન જલ રાહત’ શરૂ કર્યું છે. આસામમાં ૧૨ જિલ્લામાં ૧.૭ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 08:44 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK