31 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે
જમ્મુ-કાશ્મીરનો ઝંડો
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ-૩૭૦ હટાવ્યા બાદથી રાજ્યના વિકાસને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. મહત્વપૂર્ણ નિર્ણયોમાં જમ્મુ-કાશ્મીરથી પ્રશાસને ૭ આયોગને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. જે આયોગોને ખતમ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં ૩૧ ઑક્ટોબરથી નવા કાયદા લાગુ થઈ જશે.
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-૩૭૦ હટાવ્યા બાદથી રાજ્યમાં જે કાયદા લાગુ નહોતા થયા એ હવે રાજ્યમાં લાગુ કરી શકાશે. નવી વ્યવસ્થા હેઠળ જમ્મુ-કાશ્મીરને મુખ્ય ધારામાં પાછું લાવવા અને રાજ્યના વિકાસ માટે અનેક મોટા ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયો હેઠળ જમ્મુ-કાશ્મીર પ્રશાસને બુધવારે સાત આયોગને ખતમ કરવાનો આદેશ જાહેર કરી દીધો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : J&Kના પહેલા લેફ. ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુ : સત્યપાલ મલિકની ગોવા ટ્રાન્સફર
સરકારે જે આયોગને ખતમ કરવાનો નિર્ણય લીધો છે એમાં જમ્મુ-કાશ્મીર માનવાધિકાર આયોગ, રાજ્ય માહિતી આયોગ, રાજ્ય ગ્રાહક નિવારણ આયોગ, રાજ્ય વિદ્યુત નિયામક આયોગ, મહિલા અને બાળ વિકાસ આયોગ, દિવ્યાંગો માટે બનાવેલું આયોગ અને રાજ્ય પારદર્શિતા આયોગ સામેલ છે.