Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૭ના NEETના ટૉપર ડૉક્ટરની આત્મહત્યાથી પંજાબમાં શોકની લાગણી

૨૦૧૭ના NEETના ટૉપર ડૉક્ટરની આત્મહત્યાથી પંજાબમાં શોકની લાગણી

Published : 17 September, 2024 09:31 AM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેના પિતા મુક્તસર જિલ્લાની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ છે અને ભૌતિકશાસ્ત્ર ભણાવે છે.

ડૉ. નવદીપ સિંહ

ડૉ. નવદીપ સિંહ


૨૦૧૭માં NEET (નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવેલા અને હાલમાં દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કૉલેજમાં MD (ડૉક્ટર ઑફ મેડિસિન)ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ૨૫ વર્ષના ડૉ. નવદીપ સિંહે આત્મહત્યા કરતાં પંજાબના મુક્તસર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે. NEET પરીક્ષામાં તે ઑલ ઇન્ડિયા રૅન્કમાં પહેલા ક્રમાંકે આવ્યો ત્યારે ૨૦૧૭ના જૂન મહિનામાં તે અખબારોની હેડલાઇનમાં છવાઈ ગયો હતો. એ સમયે લોકો મુક્તસર વિશે જાણતા થયા હતા. પરીક્ષામાં તેની સફળતાથી અંજાઈને લોકો તેને આદર્શ માનતા હતા અને તેનામાંથી પ્રેરણા લેતા હતા. દિલ્હીની જે કૉલેજમાં તે ભણતો હતો એનું ફી-સ્ટ્રક્ચર પ્રમાણમાં ઓછું હોવાથી તેણે બારમા ધોરણમાં પાસ થયા બાદ આ કૉલેજમાં ઍડ્‍મિશન લેવાનો ઇરાદો જાહેર કર્યો હતો. રવિવારે સવારે તેની રૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.


તેના પિતા મુક્તસર જિલ્લાની એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ છે અને ભૌતિકશાસ્ત્ર ભણાવે છે. શનિવારે સવારે પણ પિતા-પુત્ર વચ્ચે વાતચીત થઈ હતી અને તેના પર કોઈ પ્રેશર જણાતું નહોતું. તેણે આવું શા માટે કર્યું એ પરિવારજનોના સમજમાં નથી આવી રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2024 09:31 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK