Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈન ધર્મશાળાનું ઑનલાઇન બુકિંગ કરતા યાત્રિકો સાવધાન

જૈન ધર્મશાળાનું ઑનલાઇન બુકિંગ કરતા યાત્રિકો સાવધાન

08 February, 2024 09:50 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આવો મેસેજ અને બોર્ડ દેશભરમાં જૈનોનાં દેરાસરોનું સંચાલન કરી રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની સહિત અનેક જૈન ધર્મશાળાઓએ એમની ધર્મશાળાઓમાં આવતા યાત્રિકોની ઑનલાઇન બુકિંગથી થયેલી છેતર​પિંડીની ફરિયાદો પછી લગાવ્યાં છે

જૂનાગઢના ગિરનાર તીર્થના કચ્છી ભવનમાં લગાવવામાં આવેલું બોર્ડ.

જૂનાગઢના ગિરનાર તીર્થના કચ્છી ભવનમાં લગાવવામાં આવેલું બોર્ડ.


આજના ડિજિટલ યુગમાં ઑનલાઇન બુકિંગની માગ વધી રહી છે. એની સાથે ઑનલાઇન ફ્રૉડના સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. ઘેરબેઠાં બુકિંગ કરવામાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે. આવા જ બનાવો જૈન ધર્મશાળાના બુકિંગના નામે પણ બની રહ્યા છે. એને પરિણામે દેશભરમાં જૈનોનાં દેરાસરોનું સંચાલન કરી રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની સહિત અનેક જૈન ધર્મશાળાઓએ તેમની ધર્મશાળાઓમાં આવતા યાત્રિકોની ઑનલાઇન બુકિંગથી થયેલી છેતર​પિંડીની ફરિયાદો પછી યાત્રિકોને ઑનલાઇન બુકિંગથી સાવધાન કરતો પરિપત્ર અને ધર્મશાળાઓમાં બોર્ડ મારવાની શરૂઆત કરી છે. એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઑનલાઇન બુકિંગ કરાવવાને બદલે ધર્મશાળાના કે જે-તે ધર્મશાળાની બ્રાન્ચમાં ફોન કરીને ધર્મશાળાનું બુકિંગ કરાવો, જેથી તમે છેતર​પિંડીથી બચી શકો.   

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 09:50 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK