Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તિલકનગરમાં આ વર્ષે ગણપતિબાપ્પા બિરાજશે સંકટમોચન હનુમાન મંદિરમાં

તિલકનગરમાં આ વર્ષે ગણપતિબાપ્પા બિરાજશે સંકટમોચન હનુમાન મંદિરમાં

Published : 16 August, 2024 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મંદિરની બાજુમાં રામ-લક્ષ્મણનું મંદિર બનાવવામાં આવશે, જ્યારે મંદિરની અંદર વિવિધ સ્વરૂપના હનુમાનની મૂર્તિઓનું સર્જન કરવામાં આવશે

ચેમ્બુરના તિલકનગરના સહ્યાદ્રિ મેદાનમાં પ્રસિદ્ધ સહ્યાદ્રિ ક્રીડા મંડળ દ્વારા ચાલી રહેલી ગણેશોત્સવની તૈયારી.

ચેમ્બુરના તિલકનગરના સહ્યાદ્રિ મેદાનમાં પ્રસિદ્ધ સહ્યાદ્રિ ક્રીડા મંડળ દ્વારા ચાલી રહેલી ગણેશોત્સવની તૈયારી.


ચેમ્બુરના તિલકનગરના સહ્યાદ્રિ મેદાનમાં પ્રસિદ્ધ સહ્યાદ્રિ ક્રીડા મંડળ ૪૭ વર્ષથી અલગ-અલગ કન્સેપ્ટ અને થીમ પર ગણેશોત્સવની ઉજવણી કરે છે જેને જોવા અને દર્શન કરવા શહેર અને ઉપનગરોમાંથી હજારો લોકો આવે છે. આ વર્ષે પણ આ મંડળના પદાધિકારીઓએ એક નવી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે ગણેશોત્સવમાં સાડાછ ફુટના ગણેશજીને સંકટમોચન હનુમાન મંદિરમાં સ્થાપવામાં આવશે. જોકે આ મંદિર મુંબઈના કે દેશના કોઈ પણ અન્ય મંદિરની પ્રતિકૃતિ સમાન નહીં હોય. એ મંદિરની બાજુમાં રામ-લક્ષ્મણનું મંદિર બનાવવામાં આવશે, જ્યારે મંદિરની અંદર વિવિધ સ્વરૂપના હનુમાનની મૂર્તિઓનું સર્જન કરવામાં આવશે. આ મંડળની અન્ય વિશેષતા એ છે કે આ મંડળ દ્વારા ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગુલાલ અને ફટાકડાનો ઉપયોગ કરવામાં આવતો નથી.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK