મુંબઈ પોલીસે ગઈ કાલે સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું હતું કે હનુમાન ચાલીસાના પઠનના કેસમાં રાણા દંપતીના જામીન રદ કરવાની તેમની અરજીની સુનાવણી સુધી એટલે કે ૯ જૂન સુધી તે અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ નહીં કરે.
નવનીત રાણા અને તેમના પતિની ૯ જૂન સુધી ધરપકડ નહીં કરાય
મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈ પોલીસે ગઈ કાલે સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું હતું કે હનુમાન ચાલીસાના પઠનના કેસમાં રાણા દંપતીના જામીન રદ કરવાની તેમની અરજીની સુનાવણી સુધી એટલે કે ૯ જૂન સુધી તે અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ નહીં કરે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદરાસ્થિત ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની રાણા દંપતીની જાહેરાત બાદ ૨૩ એપ્રિલે મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. પાંચમી મેએ જસ્ટિસ આર. એન. રોકડેએ તેઓ પ્રેસમાં નિવેદન નહીં આપી શકે તેમ જ અન્ય કેટલીક શરતોના આધારે રાણા દંપતીના જામીન મંજૂર કર્યા હતા.