૯૦,૦૦૦ રૂપિયાના દાગીના ચોરાયા હોવાનું ધ્યાનમાં આવતાં આ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં ગારોડિયાનગરમાં નાઇન્ટી ફીટ રોડ પરના કમલ અપાર્ટમેન્ટમાં રહેતા ૪૩ વર્ષના રામજી બામ્બનિયા સોમવારે ૧૮ માર્ચે પરિવાર સાથે ભાઈની પત્નીની સીમંત સેરેમનીમાં ગયા હતા. ત્યાંથી મંગળવારે ૧૯ માર્ચે રાતે જમ્યા પછી ઘરે આવ્યા ત્યારે ઘરનો સેફ્ટી ડોર અને મેઇન ડોર બન્ને ખુલ્લા જોવા મળ્યા હતા. અંદર જઈને તપાસ કરતાં આશરે બે લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ પંતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
બીજા બનાવમાં ઘાટકોપર-વેસ્ટના અસલ્ફા ગામમાં છત્રપતિ શિવાજીનગરમાં સંત જ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષના ગણેશ ગાયકવાડ ૧૫ માર્ચે પરિવાર સાથે પુણેમાં પિતરાઈ ભાઈનાં લગ્નમાં ગયા હતા. ત્યાંથી મંગળવારે ૧૯ માર્ચે સાંજે છ વાગ્યે ઘરે પાછા ફર્યા ત્યારે ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. અંદર જઈને તપાસ કરતાં કબાટના લૉકરમાં રાખેલા આશરે ૯૦,૦૦૦ રૂપિયાના દાગીના ચોરાયા હોવાનું ધ્યાનમાં આવતાં આ ઘટનાની ફરિયાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.