માણિકરાવ ઠાકરેની પોઝિશન ખતરામાં : શિવસેના
માણિકરાવના આ છૂપા સમર્થનને પગલે તેમનું સ્થાન જોખમમાં આવી શકે છે એવું પણ ‘સામના’માં લખવામાં આવ્યું છે. જાહેરમાં માણિકરાવ ઠાકરે મુખ્ય પ્રધાનનું સમર્થન કરતાં થાકતા નહોતા, પણ અંદરખાને તેમને પણ મુખ્ય પ્રધાન સામે અસંતોષ હતો અને તેમની સાથે ૪૨ વિધાનસભ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. માણિકરાવ એટલા બધા ચાલાક હતા કે જો એનસીપીનો વિરોધ પૃથ્વીરાજ ચવાણ સામે કામ ન આવ્યો તો ૪૨ વિધાનસભ્યોએ હાઇ કમાન્ડને લખેલો પત્ર કામ કરી જશે એવું પણ ‘સામના’ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી