Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુરમાં માતા અને પરિણીત પુત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી

નાગપુરમાં માતા અને પરિણીત પુત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી

Published : 02 May, 2026 12:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવજાત બાળકના મૃત્યુ બાદ આઘાતમાં સરી પડેલાં મા-દીકરીએ અંતિમ પગલું ભર્યું હોવાની શંકા

નવજાત બાળકના મૃત્યુના આઘાતમાં આ બન્ને મહિલાઓએ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે

નવજાત બાળકના મૃત્યુના આઘાતમાં આ બન્ને મહિલાઓએ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે


નાગપુર શહેરના વ્યંકટેશનગરમાં શુક્રવારે સવારે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાવન વર્ષનાં એક મહિલા અને તેમની ૨૯ વર્ષની પરિણીત પુત્રીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે બે મહિના પહેલાં જન્મેલા નવજાત બાળકના મૃત્યુના આઘાતમાં આ બન્ને મહિલાઓએ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.

પોલીસના જણાવ્યા અનુસાર ૨૯ વર્ષની આકાંક્ષા બ્રમ્હેએ બે મહિના પહેલાં જ પોતાનું બાળક ગુમાવ્યું હતું અને ત્યારથી તે તેની મમ્મી સાથે રહેતી હતી. શુક્રવારે સવારે ૭ વાગ્યે આકાંક્ષાનો પતિ લોકેશ ઘરે આવ્યો અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળ્યો ત્યારે તેણે બારીમાંથી અંદર જોતાં માતા-પુત્રીને લટકતી હાલતમાં જોઈ ચોંકી ઊઠ્યો હતો. પાડોશીઓએ તાત્કાલિક દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે બાળકના મૃત્યુ બાદ બન્ને મહિલાઓ ભારે માનસિક તનાવમાં હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK