લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નાર્વેકરને પક્ષપલટા વિરોધી કાયદાની સમીક્ષા માટે રચાયેલી સમિતિના વડા બનાવ્યા હતા, ત્યારબાદ ઠાકરેએ નાર્વેકરની ટીકા કરી હતી
રાહુલ નાર્વેકરની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું કે, જો શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)માં હિંમત હોય તો તે જણાવે કે શિવસેનાના ધારાસભ્યો (Maharashtra Politics) સંબંધિત ગેરલાયકાતની અરજી પરના તેમના નિર્ણયમાં શું ગેરકાયદેસર હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નાર્વેકરને પક્ષપલટા વિરોધી કાયદાની સમીક્ષા માટે રચાયેલી સમિતિના વડા બનાવ્યા હતા, ત્યારબાદ ઠાકરેએ નાર્વેકરની ટીકા કરી હતી.




