Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જન્મદિનના બીજા દિવસે રજનીકાન્તે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં

જન્મદિનના બીજા દિવસે રજનીકાન્તે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં

Published : 14 December, 2025 01:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રજનીકાન્તે મંદિર-પરિસરમાં પ્રવેશ કરતાં તેમના ફૅન્સની ભીડ ઊમટી પડી હતી. તેમની સાથે પત્ની લતા, દીકરીઓ સૌંદર્યા અને ઐશ્વર્યા પણ હાજર હતાં. દર્શન બાદ રજનીકાન્તે મંદિર-પરિસરની બહાર પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું.

જન્મદિનના બીજા દિવસે રજનીકાન્તે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં

જન્મદિનના બીજા દિવસે રજનીકાન્તે તિરુપતિ મંદિરમાં દર્શન કર્યાં


રજનીકાન્તે શુક્રવારે પોતાની ૭૫મી વર્ષગાંઠ ઊજવી હતી. આ અવસ‍રે તેમના ફૅન્સ અને શુભેચ્છકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જન્મદિવસના બીજા દિવસે રજનીકાન્ત પોતાના સમગ્ર પરિવાર સાથે આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભગવાન વેન્કટેશ્વરનાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.
રજનીકાન્તે મંદિર-પરિસરમાં પ્રવેશ કરતાં તેમના ફૅન્સની ભીડ ઊમટી પડી હતી. તેમની સાથે પત્ની લતા, દીકરીઓ સૌંદર્યા અને ઐશ્વર્યા પણ હાજર હતાં. દર્શન બાદ રજનીકાન્તે મંદિર-પરિસરની બહાર પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું હતું. મંદિરની બહાર આવતી વખતે તેમણે પરિવાર સાથે ફોટો ક્લિક કરાવીને ચાહકોની લાગણીનું માન રાખ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK