Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશોત્સવમાં ટોટલ ૧,૯૭,૧૧૪ મૂર્તિઓનું વિસર્જન, ૫૦૮ ટન નિર્માલ્ય

ગણેશોત્સવમાં ટોટલ ૧,૯૭,૧૧૪ મૂર્તિઓનું વિસર્જન, ૫૦૮ ટન નિર્માલ્ય

Published : 09 September, 2025 07:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિસર્જન બાદ મૂર્તિઓને જળાશયોમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ ૫૦૮ ટન નિર્માલ્યનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.

તસવીર : અતુલ કાંબળે

તસવીર : અતુલ કાંબળે


ગણેશોત્સવમાં મૂર્તિનું વિસર્જન કરાયા બાદ મૂર્તિ પર ચડાવાયેલાં ફૂલ-હાર વગેરેનું નિર્માલ્ય જળાશયોમાંથી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે મુંબઈનાં કૃત્રિમ અને કુદરતી જળાશયોમાંથી વિસર્જન બાદ ૫૦૮ ટન નિર્માલ્ય કાઢવામાં આવ્યું છે.

ગણેશોત્સવમાં કુલ ૧,૯૭,૧૧૪ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાં ૧,૮૧,૩૭૫ ઘરના ગણપતિની મૂર્તિઓ, ૧૦,૧૪૮ સાર્વજનિક મંડળોની મૂર્તિ અને ૫૫૯૧ ગૌરી તથા હરતાલિકાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાંથી ૬૦,૪૩૪ મૂર્તિઓ દોઢ દિવસ બાદ, ૪૦,૨૩૦ મૂર્તિઓ પાંચમા દિવસે, ૫૯,૭૦૪ મૂર્તિઓ સાતમા દિવસે અને ૩૬,૭૪૬ મૂર્તિઓનું છેલ્લા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન બાદ મૂર્તિઓને જળાશયોમાંથી બહાર કાઢવામાં આવી હતી. સાથે જ ૫૦૮ ટન નિર્માલ્યનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK