Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘરમાં લાગેલી આગ એક મહિના પછી પણ જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સંતાનોને દઝાડી રહી છે

ઘરમાં લાગેલી આગ એક મહિના પછી પણ જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સંતાનોને દઝાડી રહી છે

Published : 20 July, 2024 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગલ પ્રભાત લોઢા અને કેટલાક જૈન શ્રાવકોની મદદથી વરસાદથી બચવા માટે પ્લાસ્ટિક બાંધી શકાયું છે

જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સંતાનોના ચકલા સ્ટ્રીટમાં આવેલા ગાંધી ભવનમાં આગ લાગ્યાના એક મહિના બાદની સ્થિતિ.  પ્રકાશ બાંભરોલિયા

જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સંતાનોના ચકલા સ્ટ્રીટમાં આવેલા ગાંધી ભવનમાં આગ લાગ્યાના એક મહિના બાદની સ્થિતિ. પ્રકાશ બાંભરોલિયા


દક્ષિણ મુંબઈના ભીંડીબજારની ચકલા સ્ટ્રીટમાં કૃષ્ણ પ્રસાદ બિલ્ડિંગના ચોથા માળે રહેતાં એક સમયના જૈન શ્રેષ્ઠી હરખચંદ ગાંધીનાં સિનિયર સિટિઝન સંતાનોના ઘરમાં લાગેલી આગને એક મહિનો થયો છે. આ આગમાં ઘર અને અંદરનો સામાન બળીને ખાખ થઈ ગયાં હતાં અને એમાં રહેતી ચાર વ્યક્તિઓ બેઘર થઈ ગઈ હતી. આ જાણ થયા બાદ મહારાષ્ટ્ર રાજ્યના કૅબિનેટ પ્રધાન અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢા સહિતના જૈનોએ કેટલીક મદદ કરી હતી જેથી ઘરની છત પર પ્લાસ્ટિક અને બામ્બુ બાંધવામાં આવ્યાં છે, પણ આગમાં ખાખ થઈ ગયેલો સામાન ઉતારવામાં આર્થિક મુશ્કેલીને લીધે મોડું થઈ રહ્યું છે. આથી આગની ઘટનાના એક મહિના બાદ પણ સિનિયર સિ​ટિઝન ભાઈ-બહેનો ધર્મશાળામાં રાત વિતાવે છે અને તેમણે દિવસ રસ્તા પર ગુજારવો પડી રહ્યો છે. ઘર ફરીથી બાંધવા માટે ૧૦થી ૧૫ લાખ રૂપિયાની જરૂર છે, પરંતુ પોતાની પાસે હતું એ બધું આગમાં ખાખ થઈ ગયું છે એટલે મુશ્કેલી થઈ રહી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

20 July, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK