Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૦૦ રૂપિયાની ૭૧૧૭ કરોડની ચલણી નોટો હજી પાછી આવી નથી

૨૦૦૦ રૂપિયાની ૭૧૧૭ કરોડની ચલણી નોટો હજી પાછી આવી નથી

Published : 07 December, 2025 06:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે હજી નોટો માન્ય છે, જમા કરાવી શકો છો

૨૦૦૦ રૂપિયાની નોટ

૨૦૦૦ રૂપિયાની નોટ


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેર કરેલા આંકડા મુજબ ચલણમાંથી પાછી ખેંચવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની લગભગ ૯૮ ટકા નોટો બૅન્કમાં પરત આવી ગઈ છે છતાં આશ્ચર્યજનક રીતે ૭૧૧૭ કરોડની કિંમતની ૨૦૦૦ રૂપિયાની નોટો હજી પણ જનતાની પાસે છે.

૨૦૦૦ રૂપિયાની ચલણી નોટો વિશે લોકોના મનમાં સવાલ છે કે શું આ નોટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે? શું તેમને રાખવી સલામત છે કે પછી એ નકામી થઈ જશે? આ મૂંઝવણ દૂર કરવા માટે RBIએ તાજેતરમાં એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. RBIએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ હજી પણ માન્ય છે અને જેમની પાસે એ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. લોકો સરળતાથી તેમની ૨૦૦૦ રૂપિયાની નોટો બદલી શકે છે અથવા તેમના બૅન્ક-ખાતામાં જમા કરી શકે છે. તેમણે એક સરળ પ્રક્રિયા પણ પૂરી પાડી છે જેના પગલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મુશ્કેલી વિના નોટો જમા કરી શકે છે અથવા બદલી શકે છે. RBIએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગના લોકોએ સમયસર આ નોટો જમા કરાવી હતી અથવા બદલી હતી. શરૂઆતમાં લોકોએ ઝડપથી નોટો જમા કરાવી હતી, પણ પછીથી આ ગતિ ધીમી પડી ગઈ હતી. ઘણા લોકો પાસે હજી ઘરે નોટો છે, કારણ કે તેઓ એવું ધારે છે કે એ હવે માન્ય નથી.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2025 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK