BJPના પદાધિકારીઓ અને કાર્યકરો ઘાટકોપર અને આસપાસમાં આવેલાં ઘરોમાં નિમંત્રણ આપવા જશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે સાંજે ઘાટકોપરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે એ માટે ગઈ કાલે મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક થઈ હતી. એમાં વડા પ્રધાનના શોમાં જોડાવા માટે ઈશાન મુંબઈના ઘરે-ઘરે જઈને નિમંત્રણ આપવાનો નિર્દેશ BJPના પદાધિકારીઓને આપવામાં આવ્યો હતો. આથી આજે સવારના ૭થી ૧૦ વાગ્યા દરમ્યાન BJPના પદાધિકારીઓ અને કાર્યકરો ઘાટકોપર અને આસપાસમાં આવેલાં ઘરોમાં નિમંત્રણ આપવા જશે એવું જાણવા મળ્યું હતું.

