Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કેજરીવાલની ધરપકડ સામે AAPના કાર્યકરોએ કર્યો એક દિવસનો ઉપવાસ

કેજરીવાલની ધરપકડ સામે AAPના કાર્યકરોએ કર્યો એક દિવસનો ઉપવાસ

08 April, 2024 08:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઝાદ મેદાનમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ ભેગા થઈને દર્શાવ્યો વિરોધ

આઝાદ મેદાન

આઝાદ મેદાન


દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ દર્શાવવા AAPના કાર્યકરો અને નેતાઓએ દેશ-વિદેશ સહિત મુંબઈમાં પણ ગઈ કાલે એક દિવસનો ઉપવાસ કર્યો હતો. આ ઉપવાસ વખતે AAPના સભ્યો વિરોધ દર્શાવવા આઝાદ મેદાન ખાતે એકત્રિત થયા હતા.

મહારાષ્ટ્રમાં પુણે અને અન્ય શહેરોમાં જાહેર સ્થળોએ AAPના સભ્યોએ દિવસભર વિરોધ નોંધાવ્યો હતો. પુણે જેવાં શહેરોમાં વિરોધ પક્ષ કૉન્ગ્રેસ અને શિવસેના (UBT)ના અમુક નેતાઓ પણ AAPના વિરોધમાં જોડાયા હતા. દિલ્હીમાં AAPના ટોચના નેતાઓ જતરમંતર ખાતે દિવસભરના ઉપવાસ માટે એકત્રિત થયા હતા. દેશનાં અન્ય રાજ્યોમાં તેમ જ વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ આ જ પ્રકારે વિરોધ દર્શાવાયો હતો. બૉસ્ટનમાં હાર્વર્ડ સ્ક્વેર, લૉસ ઍન્જલસમાં હૉલીવુડ સાઇન, વૉશિંગ્ટન ડીસીમાં ભારતીય એમ્બેસીની બહાર, ન્યુ યૉર્ક ટાઇમ્સ સ્ક્વેર ઉપરાંત ટૉરોન્ટો, લંડન અને મેલબર્નમાં પણ વિરોધ દર્શાવાયો હતો. અરવિંદ કેજરીવાલ ૧૫ એપ્રિલ સુધી જુડિશ્યલ કસ્ટડીમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2024 08:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK