આવા દુઃખી માહોલમાં રાજ ઠાકરે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)નાં રાજ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ આ વર્ષે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે. 14મી જૂને રાજ ઠાકરેનો જન્મદિવસ હોય છે અને Covid-19 રોગચાળાના સંજોગોને ધ્યાનમાં લઇને તેમણે પોતાના પક્ષનાં લોકોને તથા સાથી કર્મચારીઓને વિનંતી કરી છે કે તેઓ તેમને શુભેચ્છાઓ આપવા ન આવે.
"... 14મી જૂન મારો જન્મદિવસ છે પણ હું દર વર્ષે જે રીતે તમામને મળું છું તે રીતે આ વર્ષે નહીં મળી શકું. આનું એક માત્ર કારણ છે કે હાલનાં સંજોગો બહુ કપરાં છે, ઘણાં બધા લોકોએ જિંદગી ગુમાવી છે અને ઘણાં લોકો પીડાય છે તથા હેરાન થઇ રહ્યા છે..આખો માહોલ બહુ દુઃખદ છે. આવા સંજોગોમાં જન્મદિવસની ઉજવણી યોગ્ય નથી લાગતી. હું તમામને દિલથી વિનંતી કરું છું કે મને શુભેચ્છાઓ આપવા અંગત રીતે મળવા ન આવે. મે એક જ અપેક્ષા છે કે તમે સૌને મદદ કરવાનું ચાલુ રાખો અને તે જ સૌથી મોટી ભેટ રહેશે. હું તમારા પ્રયત્નોની પ્રશંસા કરું છું અને જેને જરૂર છે તેને મદદ કરાવું ચાલુ રાખજો. પ્લીઝ તમારી જાતની પણ કાળજી રાખજો અને તમારી જાતને તથા પરિવારને સલામત રાખજો. ”MNSના વડાએ કહ્યું કે જ્યારે બધું નોર્મલ થશે ત્યારે તેઓ પોતે જ પક્ષનાં સભ્યોને મળશે.